SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરે દીક્ષા લઈ વિહાર કર્યો. પહેલે જ દિવસે એ પોતાના પિતાના મિત્ર એક તાપસના આશ્રમે આવી ચડ્યા. તાપસને જોતાં જ પ્રભુના હૈયામાં પ્રેમની છોળ ઊછળી, એ બંને હાથ પહોળા કરી હૈયેહૈયું દબાય એ રીતે એકબીજાને ભેટી પડ્યા. પ્રભુ તો મહાન સાધુ છે. પેલો સામાન્ય તાપસ છે, છતાં કેવો પ્રેમ ? સાધુનું દર્શન એ જ પુણ્ય છે. સાધુઓ તો હરતાફરતા (જંગમ) તીર્થ સમા છે, પણ તે કયા સાધુ ? જે ત્યાગી હોય, બ્રહ્મચારી હોય, મૈત્રીભાવથી છલકાતા હોય, એવા સાધુને નમનથી આપણામાં જરૂર નમ્રતા ને સભ્યતા આવે. આજના યુગમાં લોકો બે હાથ જોડીને નમન કરતાં ભૂલ્યા. દંડવત પ્રણામ કરતાં ભૂલ્યા, અને નમસ્કાર પણ ભૂલતા જાય છે. હવે તો દૂરથીસલામથી (Salute) પતાવે છે. આ યુદ્ધના અનાજથી માણસનું માનસ બગડ્યું છે. માણસ માણસથી દૂર ભાગે છે. માણસ એકબીજાને મળે છે તો વચ્ચે અવિશ્વાસનો પડદો રાખીને જ મળે છે. માણસના માનસમાં પાપ આવ્યું છે, એટલે માણસ માને છે કે દૂર રહેવામાં જ સાર છે. કેટલાક કહે છે : “ભાઈ ! ચેતીને ચાલવાનો આ જમાનો છે.' આહ ! માનવતાની પ્રતિષ્ઠા ગઈ, હવે આપણી પાસે રહ્યું શું ? માણસમાં કેટલો અવિશ્વાસ જાગ્યો છે તે તમને નીચેના પ્રસંગ પરથી ખ્યાલ આવશે. એક છોકરો દીવાલ પર બેઠો હતો. એનો પિતા નીચે ઊભો રહી કહી રહ્યો હતો, “બેટા ! ઉપરથી ઠેકડો માર, હું તને ઝીલી લઈશ. જરાય ગભરાઈશ નહિ, હું નીચે ઊભો છું ને ! તારે ડરવાનું હોય નહિ. ચાલ કૂદકો માર જોઈએ.'' છોકરો મૂંઝાતો હતો. એને બીક હતી. ત્યાં ફરી એના બાપે કહ્યું, ‘અરે, ડરે છે શાનો ? તું પડતું મૂકીશ એવો જ તને હું ઝીલી લઈશ.' અને છોકરાએ ભૂસકો માર્યો. એનો બાપ ત્યાંથી ખસી ગયો. છોકરાને જરાક વાગ્યું. એણે બાપની સામે જોયું. બાપે કહ્યું : “મેં તને ભૂસકો નથી મરાવ્યો, પણ જીવનભર યાદ રહે તેવી લાખ રૂપિયાની શિખામણ આપી છે. સગા બાપના વચન ૫૨ પણ વિશ્વાસ ક૨વા જેવો આ જમાનો નથી. કોઈના આધાર કે કોઈના વચન પર, કોઈ પણ કામ કરીશ તો હાથપગ ભાંગી જશે. તું ઉપર પડીશ એમ લાગતાં તારો બાપ પણ ખસી ગયો, ત્યાં બીજો તો ખસી જાય એમાં નવાઈ શી ? માટે કોઈનાય આધારે ભૂસકો ન મારીશ. શત્રુ સાથે પણ એવી રીતે વર્તજે કે કોઈ વાર મૈત્રી ક૨વાનો પ્રસંગ આવે તોય વાંધો ન આવે, અને મિત્ર સાથે પણ એવી રીતે Jain Education International ૧૯૦ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy