SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વાત એક કલાક પણ સાંભળવા માટે સમય ન મળે તો માણસાઈ કઈ રીતે આવે ? માનવતા કઈ રીતે જાગે ? આત્મપ્રબોધ કઈ રીતે થાય ? ત્રેવીસ કલાક આ કાનમાં દુનિયાનું ઝેર રેડાઈ રહ્યું છે. એ ઝેરને ધોનાર કોઈ હોય તો વીતરાગની આ પવિત્ર વાણી છે. આ વાણીનાં પાણી ન મળે તો આત્માની મલિનતા કઈ રીતે ટળે ? આખો દિવસ દુનિયામાં જોશો તો નિંદા સિવાય કાંઈ ન મળે. ચાર માણસ ભેગા થાય તો નિંદા કરવાના. પ્રશંસા કોઈનાય મોઢે આવે છે ? આખા દિવસમાં તમે કેટલા માણસના સદ્દગુણ જુઓ છો ? અને દુર્ગુણ કેટલાના જુઓ છો ? તમારા ધ્યાનમાં પહેલો ગુણ આવે છે કે અવગુણ ? ચાંદા જોવાનું કામ તો કાગડા પણ કરી શકે છે; એ જ કામ માનવીની દૃષ્ટિ કરશે તો માનવીની મહત્તા શી ? પાપીઓનાં પાપો જ પાપીઓને મારશે. એની નિંદા કરી તમે શું કરવા તમારા આત્માને મલિન કરો છો ? યાદ રાખજો કે નિંદા પણ દારૂ જેવી માદક વસ્તુ છે. એનો કેફ ચઢ્યા પછી માણસ ચૂપ રહી શકતો જ નથી. પછી તો એ વગર બોલાવ્યો, વિના પૂછુયે પણ જેના તેના અવર્ણવાદ-નિંદા બોલતો ફરવાનો. જૂની કહેવત હતી : ચાર મળે ચોટલા, તોડી નાખે ઓટલા, હવે એ કહેવતને ફેરવવી પડશે. બહેનોને ઘરની જવાબદારીને લીધે ઓટલા તોડવાની ફુરસદ રહી નથી. હવે તો પુરુષો જ ભેગા થઈને ચૂંટણીમાં ને ઉમેદવારીમાં ઓટલા તોડતા હોય છે. એટલે ચાર મળે ચોટલી તો તોડી નાખે (કો'કની) રોટલી ! સવારથી ઊઠીને પ્રભુનું નામ લેવાને બદલે ઓટલા પર છાપાં લઈને બેસી જાય, અને દાતણ કરતાં કરતાં છાપું વાંચતો જાય અને આખી દુનિયાનું જાણે પોતે ન જાણતો હોય એમ વાંચતો જાય ! બે-પાંચ એની પાસે બેસીને આવી વાતો સાંભળી મનમાં ડોલતા જાય. અરે, આવી કારમી કાળી કથાઓ સાંભળવા માટે આ કાન મળ્યા છે ? પત્રકારોનો ધર્મ આ સ્થળે એટલું કહેવું જોઈએ. આજે કેટલાક પત્રકારો પણ પોતાનો ધર્મ ભૂલ્યા છે. પ્રજાને શું પીરસવું એ પત્રકારના વિવેક ઉપર આધાર રાખે છે. પત્રકાર વિવેકી હોય તો પ્રજાને તારી શકે. પ્રજાને મહાન બનાવી શકે અને પ્રજા ઉન્નત ભાવનામય બને એવું સાત્ત્વિક સાહિત્ય પીરસી શકે. આજે ઉપદેશકોનું સ્થાન છાપાંઓએ લીધું છે. ઉપદેશકો ખૂણામાં છે, પત્ર જાહેરમાં છે, પ્રજામાનસ ઉપર પત્રની અસર જેવી તેવી નથી. એ ધારે તે કરી શકે, ૧૮૨ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy