SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પણ દેહ ઘાથી જર્જરિત થયો છે. વિદાય વેળાએ એમને ગુરુદર્શનની પ્યાસ જાગી. જેણે સમગ્ર જીવનમાં દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરી છે, તેને તે અત્યારે કેમ વીસરી શકે ? એમણે કહ્યું : “મને એક જ ઇચ્છા છે. પ્રભુનું નામ સંભળાવનાર કોઈ ત્યાગીના સાંનિધ્યમાં મારો દેહ છોડું.' આ સમરભૂમિમાં ત્યાગી સાધુ લાવવા ક્યાંથી ? રણમેદાનમાં એક તરગાળો હતો. એણે સાધુનો વેશ ભજવવા હા કહી. એ સાધુનો વેશ પહેરી હાજ૨ થયો અને દૂરથી જ ધર્મલાભ કહી ઊભો રહ્યો. મહામંત્રી શ્રી ઉદયન સાધુને જોતાં જ પથારીમાંથી અર્ધા બેઠા થઈ ગયા. એમની આંખોમાં પ્રેમનાં ઝળઝળિયાં આવ્યાં. એમને થયું, મારું કેટલું પુણ્ય કે અંતસમયે આવા ત્યાગી મહાત્માનાં મને દર્શન થયાં. એમણે ચરણરજ લીધી. પેલાએ ‘નમો અરિહંતાળમ્' સંભળાવ્યું. મહામંત્રીનું માથું નમ્યું. એમણે છેલ્લું શરણ લીધું. ‘રિહંત શરમાં પવધ્નમિ' અરિહંતને શરણે જાઉં છું. ઐસી દશા હો ભગવાન, જબ પ્રાણ તનસે નીકલે, ગુરુરાજ હો નિકટમેં, ઔર ધર્મ હો મેરે ઘટમેં. જીવન ધર્મમય ને પવિત્ર હોય તો એ જ સમયે ગુરુ યાદ આવે. મહામંત્રી શ્રી ઉદયને પ્રભુનું નામ જપતાં મૃત્યુનું શરણ લીધું. એ પછી રાજ્ય તરફથી તરગાળાને સારું ઇનામ આપવા માંડ્યું. ત્યારે તેણે તેનો અસ્વીકાર કરતાં કહ્યું : “ના, દ્રવ્ય મારે ન ખપે. જે વેશનાં દર્શનથી મહામંત્રી જેવાનું મરણ સુધર્યું, જે વેશના ચરણોમાં શ્રી ઉદયન જેવા મહામંત્રી પણ નમે, એવો પાવનકારી પવિત્ર વેશ મળવા છતાં હું છોડું તો મારા જેવો દુર્ભાગી કોણ ? મને ત્યાગના પંથે જવા દો. હું કોઈ જ્ઞાનીગુરુના શરણમાં જઈ, શાસ્ત્રનો અભ્યાસ કરી, ચારિત્ર પાળી મારા જીવનને ધન્ય બનાવીશ. મને જવા દો “અરિહંત શરનું વવજ્ઞાનં.” : " વેશ લઈને ભજવતાં આવડવો જોઈએ. તમે પણ મનુષ્ય-ભવનો વેશ ભજવો છો ને ? છપ્પન ઇંચનો ડગલો પહે૨વા માત્રથી કાંઈ મનુષ્ય ન થવાય. બહારના વેશમાં સૌ સારા દેખાય છે, સારા દેખાવાનો પ્રયત્ન પણ કરે છે; પણ ખરેખર સારા થવાને કેટલા પ્રયત્ન કરે છે ? ફોટો પડાવવા જાઓ ત્યારે કેવા દેખાઓ છો ? બહાર સુંદર અને અંદર બગાડ, આ ક્યાં સુધી ચાલશે ? અંતે પ્રભુના દરબારમાં તો અંદરનું બહાર આવ્યા વિના નહિ રહે ને ? કુદરતે આપણી છાતીમાં વિચારો જોવાની બારી નથી મૂકી. એવી બારી હોય તો શું પરિણામ આવે ? પોલ બધી ઊધડી જ જાય ને ? બધા દાવપેચ Jain Education International હવે તો જાગો ! * ૧૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy