SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વસ્તુપાળ ને તેજપાળ પણ તમારી જેમ સંસારી હતા, પણ એમનું જીવન ધર્મમય હતું. એમણે એમનો વૈભવ આબુનાં સંગેમરમરમાં ને આરસમાં કોરીને એમના વૈભવને, એમના જીવનને, અમર બનાવ્યું. એમનું મૃત્યુ થયું, પણ તે ક્યાં ? જાણે યાત્રાને બહાને મરણની સામે ગયા ? એમણે મૃત્યુને પણ શરમાવ્યું. એવો જ પ્રસંગે ગુજરાતના મહામંત્રી શ્રી ઉદયનનો છે. એમનું વીરમૃત્યુ વિચારવા જેવું છે. ગુજરાતને એની પૂરી પિછાન નથી. શ્રી મુનશી જેવા કેટલાક લેખકોએ ઐતિહાસિક સાહિત્યને અન્યાય કર્યો છે. ઇતિહાસનાં તેજસ્વી પાત્રોને પોતાની મનસ્વી વૃત્તિઓથી રંગીને પોતાના માનસનું પ્રદર્શન ભર્યું છે. પ્રતાપી પાત્રોની પવિત્રતા સામાન્ય માનસમાં આવતી જ નથી. મહામંત્રી ઉદયનને શ્રી ક. મા. મુનશીએ પોતાની નવલકથાઓમાં સાવ હણા ચીતર્યા છે. એમની એ નવલકથાઓમાં જાણીતી અંગ્રેજી નવલકથાઓની પુનરાવૃત્તિઓ જેવી છે. એમાં જે જે પાત્રો હતાં તે તે પાત્રો પોતાની નવલમાં ખડાં કરવાં, ને એને ઇતિહાસનો આભાસ આપવા એમણે સોલંકી યુગ પસંદ કર્યો અને એ વખતનાં પાત્રોને મનફાવતાં ગોઠવીને ગમે તે રીતે ઘડ્યાં છે. તેઓએ એક પ્રસંગે જાહેર કર્યું હતું કે મુંજાલને ઠેકાણે પહેલાં શાંતુ મૂક્યો હતો, પણ પછી ફેરવી નાખ્યો. મંજરી એમની કલ્પનાનું પાત્ર છે ! આમ એમણે નવલકથાનો રસ જમાવવા ગુજરાતનાં પ્રતિભાશાળી પાત્રોનો ખુરદો કરી નાખ્યો છે. ઇતિહાસના સત્યને ભ્રષ્ટ કર્યું છે. આ વખતે એક ભરવાડનું દૃષ્ટાંત યાદ આવે છે. સ્ત્રી-પુરુષ નદી ઊતરતાં હતાં. સ્ત્રીએ પોતાના પગે સુંદર મેંદી મૂકી હતી. પુરુષને એનો મોહ હતો. સ્ત્રીને પગે પાણી ન અડે એ માટે એણે સ્ત્રીને અવળી પકડી. માથું નીચે ને પગ ઉપર. સ્ત્રી પાણી પીને મરી ગઈ, પણ પેલા પુરુષે કહ્યું : ભલે જીવ ગયો. પણ રંગ તો રહ્યો.” આમ ગુજરાતના આ જાણીતા નવલકથાકારે નવલકથાઓનો “ટેસ્ટ' જાળવવા કેટલાંય મહાપ્રતાપી પાત્રોનો ખુરદો કરી નાખ્યો છે. આજના ઉદાર યુગમાં શ્રી મુનશી જેવાએ એ પાત્રોને ન્યાય આપી પોતાના અપકૃત્યનું પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આ તો એ પ્રાસંગિક વાત થઈ. હવે આપણે મૂળ વાત પર આવીએ. ગુર્જર ઇતિહાસના ઘડવૈયાઓમાં મહામંત્રી ઉદયનનું સ્થાન અનુપમ છે. એંશી વર્ષના મહાયોદ્ધા શ્રી ઉદયન મૃત્યુશધ્યા પર પોઢયા છે. સમરાંગણની એ ભૂમિ છે. એમણે સૌરાષ્ટ્ર પર કપરો વિજય તો મેળવ્યો છે, ૧૭૬ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy