SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વાર થઈ અને નિમરાજે પૂછ્યું : ‘કેમ ! હવે અવાજ કેમ થતો નથી ?' મંત્રીએ કહ્યું : ‘કંકણ બેને બદલે એક થવાથી.' એકમાં શાન્તિ, બેમાં અશાન્તિ આપણે શીખ્યા છીએને ! એકડે એક અને બગડે બે. એનો અર્થ શો ? બે થાય એટલે બગડે. મિરાજને માંદગીમાં કંકણમાંથી પણ આત્માના એકત્વનું ભાન થયું અને આત્મજ્ઞાની થયા. સમાધિ-મરણ વિદાયવેળાએ અનેકમાંથી આત્મા એક જ રહેવાનો, સૌને પાછળ મૂકી એ આગળ વધવાનો. આ પળ ઘણી જ કપરી હોય છે. જીવનના મર્મને ભેદી નાંખે એવી આ પળ હોય છે. આ સમયે પ્રભુનું નામ કોને મોઢે ચઢે ? જેણે સારાં કાર્યો કર્યાં હોય, જેણે જીવનમાં પ્રકાશનો વિચાર કર્યો હોય, તે માણસ આવા સમયે પ્રભુનું સ્મરણ કરી શકે. આખી જિંદગી જે ઘૂંટ્યું હશે, તે અંતસમયે આવીને ઊભું રહેશે, પણ જેણે જીવનભર પાપનો, અંધકારનો વિચાર કર્યો હોય, તેને કોઈ ‘નમો અરિહંતાણં' સંભળાવે તોયે સાંભળવું ન ગમે; કેમકે જિંદગીમાં તે અંગે પ્રેમ કેળવ્યો નથી, તેનું મહત્ત્વ એને સમજાયું નથી; એટલે છેલ્લી પળે એ નામનું સ્મરણ કરવું પણ આકરું લાગે છે. મૃત્યુની નોબત વાગતી હોય ત્યારે પ્રભુ-નામની બંસરી ક્યાંથી સંભળાય ? મૃત્યુની ભયંકર કલ્પનાઓમાં એનો આત્મા ગૂંગળાતો હોય ત્યાં શાંતિ ક્યાંથી હોય ? સમાધિ કેવી રીતે મળે ? ભગવાન પાસે રોજ ચૈત્યવંદન કરતા હો, ને જે સૂત્ર બોલતા હોય, તેનો અર્થ સમજતા હો, તો Üબર પડે કે આપણે ‘જય વીયરાયમાં શી માંગણી કરીએ છીએ ! ધન નહિ, સ્ત્રી નહિ, પુત્ર-પુત્રી નહિ, પણ સમાધિ-મરણની પ્રાર્થના કરીએ છીએ. સહિમરાં પ્રભુ, મારે કાંઈ ન જોઈએ ! મને સમાધિ-મરણ મળો. શાંતિભર્યું પ્રશાન્ત મૃત્યુ મળો. આહ ! જ્ઞાનીઓએ મૃત્યુને પણ સત્કાર્યું ! એની પણ માગણી કરી ! જ્ઞાનીની મૃત્યુ માટે પણ કેવી તૈયારી ! ગમે તે ઘડીએ જવાનું છે તો દરેક માણસે જીવનની તૈયારી કરી રાખવી જોઈએ. વેપારી તો ડાહ્યા કહેવાય. પાણી પહેલાં પાળ બાંધે. તમે કહેશો અમને વેપારમાં સમજણ પડે. આમાં સમજ ન પડે. પણ જ્ઞાનીઓ કહે છે પણ સમજે જ છૂટકો છે. નહિ સમજો તો અંતસમય બગડી જશે. આને Jain Education International હવે તો જાગો ! : ૧૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy