SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એકાન્તમાં એને પૂછશો તો કહેશે કે, આ બધું છે, પણ ભાઈલા ! અંતરનો બાગ ઉજ્જડ છે. અંતરને તો આ ઉકરડો લાગે છે.' જીવનમાં ધર્મનું સંગીત નથી તેથી જ બહાર ને અંતરમાં ભેદ છે. તમે છાપામાં વાંચ્યું હશે. એક કરોડપતિ વિમાનના અકસ્માતમાં મરી ગયો. એ ઘણો વૈભવશાળી હતો, પોતાની આવડતથી એણે પૈસાનો તો ઢગ કર્યો હતો, અને ઝવેરાતની પેટીઓ ભરી એ બહારગામ વિમાનમાં જતો હતો. રસ્તામાં વિમાન સળગ્યું, અને આકાશમાં એ પણ સળગ્યો. ધરતી અને આકાશ વચ્ચે એનું કરુણ મૃત્યુ થયું. આ સુખ ! મરતી વખતે ભગવાનનું નામ સંભળાવનાર પણ કોઈ ન મળે ! અને હાય ! હાય ! કરતો વચમાં જ મરી પડે. આવાં કરુણ મૃત્યુઓ સાંભળીએ છીએ ત્યારે કમકમાટી છૂટે છે. કેટલાક રસ્તામાં ગાતા ગાતા જાય છે : ‘દુનિયા કી મજા લે લો, દુનિયા તુમ્હારી હૈ” પણ હું કહું છું કે દુનિયા તમામ પૂર્વજો કે મહાન ચક્રવર્તીઓની પણ નથી થઈ, તો તમારી કઈ રીતે થવાની છે ? તમારા પૂર્વજો પણ ‘મારું મારું' કરતાં મરી ગયા. એ શું લઈને ગયા ? કઈ વસ્તુઓ સાથે ગઈ ? હા, જે સારાં કાર્યો કર્યાં તે જરૂર સાથે ગયાં, બાકી તો માથે પાપનો ભાર જ. નમિરાજનું દૃષ્ટાંત તમને ખબર છે કે પાપનો ઉદય આવે છે ત્યારે મધુર વસ્તુઓ પણ અમધુર લાગે છે. કોયલનો મધુર ટહુકો પણ કારમો લાગે છે. નમિરાજ કેટલા વૈભવશાળી હતા ? એ મહારાજવીને વૈભવનો પાર નહિ. અંતઃપુર પણ સુંદરીઓથી ભરેલું પણ એક દિવસ એના દેહમાં ભયંકર રોગ ફાટી નીકળ્યો. શરીર જ્વરની જ્વાળાઓમાં તપવા લાગ્યું. એ સળગતાં અંગો પર ચંદન વિલેપન કરવા માટે એની યૌવનવંતી પત્નીઓ ચંદન ઘસવા બેઠી. સુંદરીઓના હાથે રત્નનાં કંકણ હતાં. જે રત્નકંકણ અને નૂપુર ઝંકારનાં કવિઓએ ભારોભાર વખાણ કર્યાં છે, જેના શ્રવણથી હૃદય નાચી ઊઠે અને દિલમાં રણકાર જાગે; એ જ કંકણનો મધુર અવાજ આજે શૂળની જેમ મિરાજના કાનમાં ભોંકાય છે. એ કહે છે કે ‘આ કર્કશ અવાજ ક્યાંથી આવે છે ?' એક વાર જેને સાંભળવાની એ ઝંખના કરતો હતો તે જ આજે એને ગમતો નથી; કારણ કે શરીરમાં સુખ નથી. પાપનો ઉદય થાય ત્યારે તેનું પરિણામ દુ:ખ તે સમયે વૈભવમાં શાન્તિ ન દેખાય તે સહજ છે. મંત્રીએ કહ્યું : ‘આ અવાજ કંકણનો છે.' નિમરાજ કહે : ‘મને આ કર્ણકટુ અવાજ ગમતો નથી.' સ્ત્રીઓએ એક એક કંકણ કાઢી નાંખ્યું અને ચંદન ઘસવા લાગી. થોડી ૧૭૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy