SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ આચરવો નથી, તો ફળ કેવી રીતે મળે ? પાપનું ફળ બરબાદી, દુઃખ, અશાન્તિ, શોક અને દરિદ્રતા છે. पापं कुर्वन्ति सादरा: ચોવીસે કલાક પાપમાં રચ્યાપચ્યા રહેવું છે, પાપની પ્રવૃત્તિ કરવી છે, પાપમય જીવન જીવવું છે, અને પુણ્યના ફળની આશા રાખવી છે, તે કેવી રીતે બને ? ગમાર પણ એવો વિચાર નહિ કરે કે બાવળનાં બી વાવીએ અને આંબો ઊગી નીકળે ! જીવનમાં પાપનું પરિબળ છે : વાણી, વર્તન અને વાચન મુખ્યત્વે વિલાસ તરફી છે, અને ફરિયાદ કરીએ છીએ કે સુખ મળતું નથી ! પણ સુખ આવે ક્યાંથી ? સુખ જોઈતું હોય તો ધર્મમય જીવન બનાવો; પણ ધર્મની વાત આવે ત્યાં તો કહેશો કે ફુરસદ નથી. પણ યાદ રાખજો કે, એક દિવસ તમારે પરાણે અનિચ્છાએ પણ ફુરસદ કાઢવી પડશે, અને તે અંતિમ પળે, તમારું ઘર ગમે તેટલા વૈભવથી છલકાતું હશે તોયે તે આકરું લાગશે, ભારે પડશે. આ જ સુખનાં સાધનો એ વખતે ભયંકર લાગશે. આજે અહીં પણ કેટલાય એવા બાહ્ય દૃષ્ટિએ સુખી દેખાતા માણસો હશે, જેમના અંતરને દુઃખનો કોઈ ગુપ્ત કીડો સતત કોરી ખાતો હશે ! મસાલો નાખી દૂધપાક બનાવ્યો હોય, અંદરથી સુગંધી મહેફ આવતી હોય, તેને પીવા મોં સુધી કટોરો લઈ જઈએ ત્યાં કોઈ કહે કે એમાં ઝેરનાં બે બિંદુઓ પડ્યાં છે, તો આપણે તરત એ કટોરો ફેંકી દઈએ છીએ, તેને પીતા નથી, શું કારણ ? કારણ એ કે વસ્તુ સુંદર છે, તેના પ્રતિ પ્રીતિ પણ છે, પણ તે પ્રેય છે તેવી શ્રેય નથી; વસ્તુ સુંદર હોવા છતાં મારી નાખે તેવી તે ચીજ છે. તેમ જ્યાં જ્યાં ધર્મ નથી ત્યાં ત્યાં બધું હોય તો પણ ઝેરમિશ્રિત છે. ધર્મ વિના જીવનમાં સુખ નહિ, શાંતિ નહિ. જેમ શરીર સારું ન હોય તો ગમે તેટલો પૈસો હોય તો પણ માણસને ચેન પડતું નથી, તેમ જીવનમાં ધર્મ ન હોય તો બહારની ગમે તેવી વસ્તુઓ પણ આત્માને શાંતિ આપી શકતી નથી. અંતર ઉજ્જડ છે જગત પર નજર નાંખો ! બહારથી સુખી દેખાતા માનવીઓ અંતરથી બળી રહેલા જણાશે ! તેમને બહા૨થી જોનારા કોઈ ભલે કહે કે, ‘ભાઈ ! તમે તો પરમ સુખી છો.' પણ સાંભળનારનું અંતર જાણતું હોય છે કે તેમના અંતરમાં કેટલા કાંટા ભર્યા છે ! પોતાની પીડા પોતે જ જાણે. કપડાં ઉતારે ત્યારે શરીર પરનાં ગૂમડાં દેખાય. બહારથી તે સૌ કોઈ કહે છે કે, ભાઈ દસ લાખના ધણી છે, બબ્બે મોટરો છે, અને આલીશાન બંગલો છે. શો વૈભવ છે !' Jain Education International હવે તો જાગો ! : ૧૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy