SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક કહે છે કે, સગા બાપના વચન ઉપર પણ વિશ્વાસ ન કરવો, વિશ્વાસથી ડગલું ભરવાલાયક આ પૃથ્વી રહી નથી. દુનિયા એવી છે કે અવસરે ખસી જાય ! આવી માન્યતાવાળો માનવી પોતાના આત્માને આગળ વધારી શકતો નથી. હું એમ નથી કહેતો કે કોઈના પર તમે સંપૂર્ણ વિશ્વાસ મૂકી દો; હું તો એટલું જ કહું છું કે જાગૃતિપૂર્વકનો વિશ્વાસ તો તમે જરૂર રાખો. જાગૃતિપૂર્વકના પ્રકાશની અંદર જીવવું એ જીવનની કોઈ ઓર લહેજત છે, એની મધુરતા અલૌકિક છે. જ્યારે પ્રેમનું વાતાવરણ વિશ્વાસની સુવાસથી મિશ્રિત બને છે, ત્યારે આપણું જીવન કોઈ અલૌકિક બની જાય છે. આજે આપણે અવિશ્વાસને લીધે જ સત્ય ને અસત્ય, હિંસા અને અહિંસા દૈવી સંપત્તિ ને આસુરી સંપત્તિ, પાશવતા ને માનવતા વગેરેને પૂર્ણ રીતે સમજી શકતા નથી, સંસારમાં પ્રકાશ પાથરી શકતા નથી, અને આત્માને ઉન્નત બનાવી શકતા નથી. અવિશ્વાસના અંધારાને લીધે જ સામા માણસના હૃદયમાં જે અવિશ્વાસનું અંધારું હોય છે તે આપણા હૃદયમાં પેસી જાય છે. સૌમ્ય પ્રકૃતિ નામના ગુણનો સ્વભાવ પ્રકાશ છે. અને તે આવતા અંધકારને અટકાવે છે, રોકે છે, તેનો અવરોધ કરે છે. સૌમ્ય પ્રકૃતિ નામનો સદ્ગુણ એ આપણને ઉદ્ઘોષણા કરીને કહે છે કે, સહિષ્ણુ બનો, ને સંસારમાં કડવા ઘૂંટડા ગળી જતાં શીખો; એટલું જ નહિ પણ ઝેરના ઘડા પીતાં પણ શીખો. સંસારને જો શાંતિયમ, પ્રેમમય અને ભાવનામય બનાવવો હોય તો આ સૌમ્ય પ્રકૃતિ નામના ગુણની સુવાસ જીવનમાં મહેકાવી દો ! હવે તો જાગો ! - ૧૭૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy