SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈક ભૂલ કરી હોય અને તમને પશ્ચાત્તાપ થાય, અને પછી એમ થાય કે મને આ તકે માફી આપે, અને સજા ન કરે તો સારું, તેમ સામો માણસ પણ પશ્ચાત્તાપ કરીને તમારી પાસેથી માફી ઇચ્છે છે, નહિ કે સજા. માનવીની મહાન ક્ષતિ જો કોઈ હોય તો તે આ છે : મનુષ્ય જેટલો પોતાનો ગુનો, પોતે કરેલી ભૂલ છુપાવવાને ઇચ્છે છે, તે કરતાં સામા માનવીનો ગુનો, તેણે કરેલી ભૂલ, પ્રગટ કરવામાં અનેકગણો આતુર હોય છે, પણ ઊંડા ઊતરીને વિચાર કરશો તો માલૂમ પડશે કે, જેમ તમારું હૈયું ક્ષમા માટે ઝંખે છે તેમ, સામા માણસને પણ તમારા જેવી જ ઝંખના રહે છે; એની આ આંખો પણ ક્ષમાની ભૂખ માંગતી હોય છે. જેનામાં સામા માણસના હૈયાને દિલને પારખવાની શક્તિ નથી તે માનવી નથી. એ માનવજીવન જીવવાને પણ લાયક નથી ! તેમ તમે પણ કોઈના સંજોગોનો વિચાર ન કરી શકતા હો, સામાની લાગણીની કદર ન કરી જાણતા હો તો તમે પણ દાનવોની કોટિમાં જ ગણાઓ. ઇતિહાસનું અવલોકન કરશો તો એવા અનેક દાખલાઓ મળશે, જે ઘણી ભયંકર ભૂલો કરવા છતાં કોઈ સુંદર તક મળતાં સુધરી ગયા, ઉન્નતિના શિખરે પહોંચી ગયા; આ વાત ધ્યાનમાં રાખી તમે વર્તનમાં સામા માટે એવી ભાવના કેળવો કે આજે એ ભલો બૂરો હોય પણ કાલે મારા સહવાસથી જરૂ૨ સુધરશે અને તે માટે તમે તમારા હૃદયના દરવાજા ખોલી તેની વાત સાંભળો, તેને માટે તમારા હૈયામાં જે ગાંઠ બંધાઈ ગઈ હોય તેને દૂર કરો, અને તેને જાતે જ સુધરવાની તક આપો, તેને અનુતાપ કરવાનો અવસર આપો; તો તે જરૂ૨ સુધરશે. — સામા માણસની વાત સાંભળતાં તમે જાગ્રત જરૂ૨ રહો, ચેતતા જરૂ૨ રહો, સાચા-ખોટાની પારખ કરતા રહો; પણ સાંભળો તો જરૂર ! અમાવાસ્યાની ઘોર અંધારી રજનીમાં પણ તા૨લા હોય છે કે નહિ ? તેનું થોડું ઘણું પણ તેજ ખરું કે નહિ ? તે તા૨લાને ભરોસે પણ તેની સામે મીટ માંડો; તેના પાપી હૃદયમાં તારલિયા જેટલું સત્ત્વ તો જરૂર હશે ! એ કાળા હૈયામાં પણ એક દિવસ ચંદ્ર જરૂર ઊગશે, પૂર્ણ કળાએ ખીલી નીકળશે. આ દૃષ્ટિ કેળવીને તમે તેને તક આપવામાં ઉદાર બનો. તમારી જાત માટે જેવો વિચાર કરો છો, તેવો સામા માણસ માટે પણ વિચાર કરો. આપણે એમ ન માની લેવું જોઈએ કે હું સુવર્ણમાંથી ઘડાયેલો છું અને બીજા પિત્તળમાંથી, બીજા બધા ખરાબ અને હું એક જ સારો છું; આવી કદાગ્રહી દૃષ્ટિ જો તમારા જીવનમાં વ્યાપક બની ગઈ તો તમે સંસારમાં આગળ વધી શકવાના નથી. Jain Education International ૧૭૦ × માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy