SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું મંગલ તે સંયમમાં પુરુષાર્થ. માણસ ધન રળવામાં, એને સાચવવામાં, વિલાસ વધારવામાં પુરુષાર્થ કરે છે, પણ સંયમની વાતમાં એ પુરુષાર્થહીન બની જાય છે. ભગવાન કહે છે : “તું તારો પુરુષાર્થ ભોગમાં નહિ, ત્યાગમાં કર." ભેગું કરવાનું કામ તો એક ભિખારી પણ કરી શકે છે, એમાં પુરુષની મહત્તા શી ! એક ભિખારી પાસે બે ડબલાં હોય ને માર્ગમાં ત્રીજું ડબલું મળે તો, એને એ ઝોળીમાં નાખવાનો, ભેગું કરવાનું અને ભોગવવાનું કાર્ય તો ભિખારી પણ કરી શકે. મહત્તા ત્યાગની છે. ત્યાગ માટે અમીરી જોઈએ. મહાન હૃદય જોઈએ, પ્રકાશમય દૃષ્ટિ જોઈએ. સંયમ એકદમ નથી આવતો. ઇન્દ્રિયોના ઘોડા તોફાની છે. એમને વશ કરવા જેવો પ્રબળ પુરુષાર્થ જોઈએ ! એમના મોંમાં સંયમની લગામ ન હોય, તો તે આપણા જીવનને ક્યાંય ફગાવી દે, કારણ જગત પ્રલોભનોથી ભરેલું છે. આવા પ્રલોભનભર્યા જીવનરથને સલામત રીતે લઈ જવો હોય તો સંયમ વિના કેમ ચાલે ? ઘણા માણસો કુશળ હોવા છતાં જીવનમાં આગળ વધી શકતા નથી, એમને શક્તિઓ મળી હોવા છતાં અંતિમ વિજય મળતો નથી, એનું કારણ એ જ છે કે, એ સંયમમાં નિર્બળ હોય છે એથી એમની સાધના માત્ર વ્યર્થ જાય છે.” માટે માનવજીવનને વિજયવંતુ બનાવવા તમારી શક્તિઓને, તમારી આવડતને, તમારી બુદ્ધિને, તમારા પુરુષાર્થને સંયમમાં જોડો. માનવજીવનની પરમ મંગળ એવી આ ચાર વાત ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે. આજ જગતમાં અશાન્તિનો દાવાનળ પ્રગટ્યો છે. શાત્તિની વાતો માત્ર હવામાં જ છે. વાસ્તવિક જગતમાં તો બદ્ધિશાળી માણસને પણ કોઈ માર્ગ દેખાતો નથી. ચારે બાજુ આગના ભડકા છે. એવા ટાણે મારા? “માણસ' બનવા માટે ને શાન્તિની દુનિયા ઊભી કરવા માટે પણ આ મંગળ સત્યનો પ્રચાર સાહિત્યમાં કરવો રહ્યો અને આ અંગોને આચારમાં વણવાં રહ્યાં. ૧૭૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Privatë & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy