SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આવા સંયોગોમાં નીચે લપસતા મનને ઊંચે લઈ જનાર હોય તો તે સન્શાસ્ત્રનું શ્રવણ છે. જેમ પંપથી પાણી ઊંચે જાય છે તેમ મહાન પુરુષોનાં જીવનશ્રવણથી માણસનું મન ઊર્ધ્વગામી થાય છે અને જેનું મન પવિત્ર હોય છે, તે જ આનંદમાં રહી શકે છે. આનંદ જગતની વસ્તુઓમાં નથી, પણ નિર્મળ મનમાં છે. મનમાં નીચતા હોય, અપવિત્રતા હોય, અંધકાર હોય, ત્યારે તો અનેક સાધનો હોવા છતાં પણ તેને નિર્ભય આનંદ મળતો નથી અને કેટલીક વાર તો ઊંડે ઊંડે વેદનાના દંશથી માણસ પીડાતો હોય છે. અહીં ભગવાને વાચન કરતાં શ્રવણ એટલા માટે કહ્યું છે, એથી ચારિત્રશીલ પુરુષના સાંનિધ્યનો લાભ મળે. એની વાણીમાંથી નીતરતી ચારિત્ર્યની ઉષ્મા શ્રોતાના હૈયાને ભરી દે. શિયાળામાં અગ્નિ પર લખેલ વિવેચન વાંચવાથી ઉષ્મા નથી મળતી, પણ અગ્નિના સાંનિધ્યથી જ ઉષ્મા મળે છે, તેમ પુસ્તકના વાચનમાત્રથી આપણામાં પરિવર્તન નથી આવતું, પણ ચારિત્ર્યવાન પુરુષોની ઉપાસનાથી આપણા જીવનમાં ત્યાગની ભાવના આવે છે અને એ આદર્શ માનવીની છાપ, ઉપદેશની સાથે સાથે આપણા હૈયા પર અંકિત થાય છે. અહીં એક વાત ખૂબ સૂચક છે. આપણે જેને સાંભળીએ તે ત્યાગી હોવો જોઈએ. ત્યાગી એટલે માત્ર કપડાં બદલાવીને બેઠેલો નહિ, પણ નિઃસ્પૃહી ને સંયમી. એવાં નિઃસ્પૃહી પુરુષના મુખમાંથી નીકળેલ વાણી નિર્મળ જળનું કામ કરે છે. પાણીથી જેમ શરીરનો ને વસ્ત્રોનો મળ દૂર થાય છે, તેમ આવી વાણીથી આપણા આત્મા પર ચઢેલા મળનો ક્ષય થાય છે. ત્રીજું મંગળ તે શ્રદ્ધા. શ્રદ્ધા એ માનવીનું પરમ ધન છે. માણસ પાસે જો શ્રદ્ધાની મૂડી હોય તો જ એ જીવનમાં પ્રગતિ કરી શકે છે. જ્યારે શ્રદ્ધા ખૂટે છે, ત્યારે માનવપ્રગતિ થંભે છે. જીવનના વિષમ ને વિકટ પંથમાં માણસ શ્રદ્ધાના પાથેયથી જ આગળ વધી શકે છે, બુદ્ધિ કુંઠિત થાય છે, ત્યાં શ્રદ્ધા માર્ગ કરે છે. શ્રદ્ધાનો આ જેવો તેવો વિજય નથી. માણસ કોઈ પણ વસ્તુનો પ્રારંભ ત્યાં કરે છે, જ્યાં એને એ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા હોય. પણ એ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ક્યારે જાગે ! જ્યારે એને પોતાના જીવનમાં શ્રદ્ધા હોય, પણ એને એ જીવનમાં શ્રદ્ધા ત્યારે જ જાગે જ્યારે એને પોતાના આત્માના અસ્તિત્વમાં અસીમ શ્રદ્ધા હોય. આવો આત્મશ્રદ્ધાવાન માણસ આખા જગત સામે બાથ ભીડી શકે. હવે તો જાગો ! ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy