SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તે દિવસથી જાણવું કે જીવન નવું પરિવર્તન લઈ રહ્યું છે. વિકાસની પ્યાસમાં નવજીવનનું સર્જન છે. માળી બીજને માટીમાં વાવે, ખાતર નાખે, પહેલોવહેલો ફણગો ફૂટે ત્યારે માળી સમજી જાય કે હવે આમાંથી વૃક્ષ બનવાનું છે. ઘણાના જીવનમાં તો બીજ જ વવાયાં નથી, અને બગીચાના સ્વામી થઈ બેઠા છે. અલબત્ત, ઊગ્યાં હશે થોરિયા, કાંટાળાં ઝાડ કે સુગંધ વગરનાં કરેણ. એને મોટો બગીચો માની બેઠા છે. થોરિયા, કાંટાળાં ઝાડ કે કરણ એ બગીચો છે ? નવજીવન હવે શરૂ થાય છે. અભીપ્સા જાગતાં સામાન્ય જીવન જીવવું જ ન ગમે, અસામાન્યતાની ભૂખ જાગે છે. પાર્થિવ નહિ, અપાર્થિવ બનવું છે. આ સ્થળ જીવનમાં દિવ્યત્વ પ્રગટાવવું છે. જીવનની ધરતીમાં સગુણનાં બીજ વાવ્યાં હોય તો જ સુંદર છોડ બને. ભાવનાની આ કંપળ જેમ જેમ વધતી જાય તેમ તેમ વૃત્તિ અને દૃષ્ટિ બદલાતી જાય. થોડા વખત પહેલાં વિનોબા ભાવેને મળવા એક અમેરિકન આવેલા. વાતવાતમાં એમણે કહ્યું : “તમે તો પદયાત્રા કરો છો પણ અમેરિકા તો એટલું બધું પ્રગતિ કરી રહ્યું છે કે આવતાં વર્ષોમાં એવાં મોટાં તોતિંગ મકાનો તૈયાર થશે જેમાં જીવનની જરૂરિયાતો એ બિલ્ડિંગમાંથી જ પૂરી થશે. ૮૦મે માળે જન્મેલો બાળક ૮૦ વર્ષ જીવે તોપણ એને નીચે ઊતરવાની જરૂ૨ ન પડે એવી સગવડ અમે કરી આપવાના છીએ. કેટલો વિકાસ ! કેવા અદ્યતન સાધનોથી એ બિલ્ડિંગ સમૃદ્ધ હોવું જોઈએ એની કલ્પના તમે જ કરો !” વિનોબાએ હસીને એક જ વાક્ય કહ્યું : “૮૦ વર્ષ સુધી જીવે અને ૮૦ વર્ષ સુધીના જીવનમાં એ જન્મેલા માણસને જીવનભર નીચે ઊતરવાનો પ્રસંગ પણ ન આવે એવી રચના જો તમે કરી શકો તો એટલું જરા કરી લો કે માણસ જ્યારે મારી જાય ત્યારે પણ એને નીચે ઉતારવો ન પડે; એની કબર પણ ઉપર બનાવો. જે ૮૦ વર્ષ સુધી નીચે ઊતરે નહિ તેને બિચારાને હવે છેલ્લે મરી ગયા પછી શા માટે ઉતારવો પડે ! જે માટીમાંથી જન્મેલો માનવી એ માટીને અડે નહિ, જીવે ત્યાં સુધી એ માટીથી જુદો રહે અને જ્યારે મરવાનો દિવસ આવે ત્યારે જ એ માટી પાસે જાય તો આ સંસ્કૃતિ છે કે વિકૃતિ ? આજે દૃષ્ટિબિંદુ બદલાયું છે, લોકો ગગનચુંબી Skyscrapers અને અદ્યતન સાધનો તરફ દોડી રહ્યા છે. હું સાધનોનો વિરોધી નથી પણ સાધ્ય ભુલાઈ ન જાય એનો વિચારક ૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy