SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ત્યારે આખા મહિનામાં શું મળે છે ? માત્ર પાંચસો કે હજાર રૂપિયા. આપણે પરમજીવનની પ્રાપ્તિ કરવાની છે. એને માટે કાંઈ કરવાનું નહિ ? એમને એમ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ! માનવી છલનામાં પડ્યો છે. જરૂર પડે ત્યારે તહેવારને દિવસે મંદિરે જાય, દયાથી કે લોકલાજના ભયથી મંદિરે જાય, લાલસાથી ભગવાન મને થોડું દાન દે અને સંતોષ મેળવે. આ સંતોષ તો એક જાતની ઊંધ છે. જાગૃત બનીને વિચારો તો ખ્યાલ આવશે કે ખરેખર, શું આટલેથી જીવનદર્શન થશે ? જીવનને સ્પર્યા વિના જીવનદર્શન કેમ થાય ? તિલકના પૂતળાનો પ્રસંગ યાદ આવે છે. મુંબઈની મ્યુનિસિપાલિટીએ નક્કી કર્યું કે ચોપાટી ઉપર તિલકનું પૂતળું મૂકવું. ઘણા શિલ્પીઓને બોલાવ્યા, એમાંથી એક શિલ્પી, જેણે ઘણાં વર્ષો સુધી સાધના કરેલી તેની પસંદગી કરી અને તેને આ કામ સોંપ્યું. શિલ્પીએ પહેલાં તિલકનું માટીનું Model બનાવ્યું. સુધરાઈએ બે સભ્યોને Model જોવા મોકલ્યા. આવ્યા તિલકનું પૂતળું જોયું, મોઢું જોયું, સમસ્ત આકૃતિ જોઈ, ખુશ થયા. આબેહુબ જાણે શ્રી તિલક જ ઊભા જોઈ લો. પછી બેમાંથી એક પૂતળાની ખૂબ નજીક આવ્યો. શિલ્પીએ કહ્યું અડશો નહિ, માટીનું છે.” “ “આના ત્રીસ હજાર રૂપિયા ?” “આ તો ધોળે દિવસે લૂંટ, પૂતળાનાં ત્રીસ હજાર ?” “કોર્પોરેટરે કહ્યું. શિલ્પીને હસવું આવ્યું. માટીને માપનારા માણસો સાધનાનો સત્કાર કેમ કરી શકે ?' શિલ્પીએ કહ્યું : “તમે જે પૈસા આપો છો એ માટીના કે બ્રોન્ઝના નહિ, પણ સાધનાના છે. માટીમાં માનવીનો મૂળ આબેહૂબ આકાર આણવાની સાધનાનો આ સત્કાર છે. સાધના અમૂલી છે. તમે ગઈ કાલે વોટ લઈને ચૂંટાયા છો, તમને માટીનાં મૂલ્ય કરતાં આવડે, સાધનાના શ્રમનો સત્કાર તમે શું સમજો ?' બીજા સભ્ય ક્ષમા માગી : “આ તો અમસ્તી વાત છે, ગેરસમજૂતીની વાત નથી પણ માણસ પોતે શું લઈને આવ્યો છે એ બતાવી આપે છે. તમે કૃતિ જોવા નહિ, પ્રકૃતિ બતાવવા આવ્યા.” માણસ ઘણીવાર બહુ ધૂળ દૃષ્ટિથી જુએ છે. માણસનાં કપડાં, દાગીના, હોદો, ડિગ્રી દેખાય; પણ એમાં કઈ મહત્તા ભરેલી છે અને એ મહત્તાને પામવા એણે કેવી એકલાએ સાધના કરી છે તેને સમજનારા દુનિયામાં બહુ થોડા છે. વિકાસ કરતો કરતો માણસ કેવો મહામાનવ બની શકે છે, એ વિચારવાનું છે. આ વિચાર અંદર ઊતરતો જાય, આપણી મનોવૃષ્ટિમાં એનું દર્શન થતું જાય તો આજનું જે જીવન જિવાય છે એના કરતાં શ્રેષ્ઠ જીવન જીવવાની મનમાં અભીપ્સા જાગે. જે દિવસથી આ અભીપ્સા જાગે, ભૂખ જાગે માનવતાનાં મૂલ્ય : ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy