SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જોડાણ અને ટેવને કારણે જે પરમ જીવન આપણને દેખાવું જોઈએ તે દેખાતું નથી અને એની સાથે સંબંધ જોડાવો જોઈએ એ આપણે જોડી શકતા નથી. પ્લગનું જોડાણ વિદ્યુતપ્રવાહથી જુદું પડી જાય તો બલ્બ હોવા છતાં ત્યાં પ્રકાશ થતો નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુત પ્રવાહ સાથે જોડાય છે તો એ નાનકડો બલ્બ પ્રકાશથી ઝગમગી ઊઠે છે. બલ્બ નાનકડો છે, એમાં માત્ર સામાન્ય તાંબાના જ તાર છે; પણ જ્યારે એનું જોડાણ વીજળી (Electricity) સાથે થાય છે કે તરત એનામાં તેજનો સંચાર થાય છે. જે તાર સામે તમે જોઈ શકતા હતા તેની સામે હવે મીટ પણ માંડી શકતા નથી. એ પ્રકાશથી તમારી આંખ અંજાઈ જાય છે. બલ્બ અહીં છે પણ એનું જોડાણ મહાન પાવર હાઉસ સાથે થયું અને પાવર હાઉસનું સમગ્ર તેજ આ બલ્બમાં આવી ગયું. આપણું સ્થૂળ જીવન બલ્બ જેવું છે. એ પરમ પ્રકાશની સાથે જોડાય તો પ્રકાશથી સભર બની જાય. માણસ જ્યારે આ પરમ પ્રકાશ સાથેનું જોડાણ ગુમાવી બેસે છે ત્યારે તે એક સામાન્ય માણસ બને છે. પછી તો આહાર, નિદ્રા, ભોગ અને પરિગ્રહનો ઢગલો વધારી પ્રસિદ્ધિ મેળવવાની દોડાદોડમાં જ એ એનું જીવન સમાપ્ત કરે છે. આપણી જીવનયાત્રા એ માત્ર પચાસ કે સો વર્ષનો ગાળો નથી, આ તો એક વિસામો છે. આપણી યાત્રા અનંતથી શરૂ થઈ છે અને આપણું પ્રયાસ અનંત પ્રતિ છે. માનવજીવન સિત્તેર વર્ષનું હોય કે સો વર્ષનું હોય પણ એ એક આરામ લેવાનું સ્થાન છે, એ યાત્રાનો અંત નથી. Longfellowએ કહ્યું : "Dust thou art and dust returnest Was not spoken of the soul" મિટ્ટીમાંથી સરજાયો, મળશે મિટ્ટીની માંહ્યએ કીધું કાયા કાજે, આત્માને મૃત્યુ હોય. ધૂળમાંથી આવ્યો અને ધૂળમાં મળી જવાનો, એ વાત આત્મા માટે નથી કહી. એ વાત તો દેહને લાગુ પડે છે. આત્માને તો સતત આગળ વધવાનું છે, એ તો યાત્રિક છે. જ્યાં સુધી આપણી જ્યોત નિર્મળ અને ઉજ્જવળ ન બને ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેવાની. આ જ્યોત દિવ્ય બનતાં અંતરમાં જે અલૌકિક શાંતિ, સુખ અને આનંદની અનુભૂતિ થાય તે વર્ણવી ન જાય. તે માટે સાધનાની જરૂર પડે છે. તમે જાણો છો કે મહિને પાંચસોથી હજાર રૂપિયા મેળવવા માટે છવ્વીસ દિવસ સુધી શેઠની ઑફિસે બરાબર દસથી સાંજના છ સુધી કામ કરવું પડે ૬ * માનવતાનાં મૂલ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy