SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું : “ફરી બોલો તો !” “મેં તને કહ્યું નહીં કે તને ભગવાનમાં વિશ્વાસ નથી પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ.” “હજી વિશ્વાસ છે ? મારામાં ? જુગારીમાં ? દારૂડિયામાં વિશ્વાસ છે ?” “હા, પ્રભુ જાણે છે, અંદરનો પ્રકાશ જાણે છે કે હજારો વર્ષ જૂના અંધકારમાં પણ પ્રકાશનો સંભવ છે. ગુફામાં ભલે હજારો વર્ષ જૂનું અંધારું હોય પણ પ્રકાશ કદી હારતો નથી. પ્રકાશ પહોંચે ને અજવાળું પ્રસરી જાય છે. પ્રકાશને પોતાના અજવાળામાં શ્રદ્ધા છે. અંધકાર ગમે તેટલો નિબિડ હોય તો પણ આખર એ અંધકાર છે.” માણસના હૃદયમાં ગમે તેટલું અંધારું હોય, જીવન ગમે એટલું નિમ્ન હોય, ગમે તેટલાં વ્યસનો હોય, ખરાબીઓ ભરેલી હોય તેમ છતાં પરમાત્માને વિશ્વાસ છે કે ગમે તેવો ખરાબ માનવી પણ એક દિવસ પ્રકાશના પંથે આવવાનો છે.” આ જ કારણે જ્ઞાનીને, દિવ્યતાના અનુભવીને, માનવીના આંતરવૈભવ ઉપર વિશ્વાસ છે. માણસ બહારથી ગમે તેટલો ખરાબ થઈ જાય તો પણ એની અંદર એક એવું સુંદર તત્ત્વ પડ્યું છે જે એને સદા ચેતવે છે. મેં ચોરોને જોયા છે. એ હૃદય ખોલે ત્યારે સાંભળવા જેવું હોય છે. મહારાજ ! અમે સંતોને પગે પડીએ છીએ સંત કેવા સાદા અને સરળ. કારણ કે અમને મનમાં થાય છે કે અમારે સંતાવું પડે છે, અમારું જીવન ખરાબ છે, અમે એ લોકોને લૂંટીએ છીએ, જે આપને લૂંટે છે. એ લોકો શહેરમાં લૂટે છે તો અમે એને જંગલમાં લૂંટીએ છીએ; એ લોકો દિવસે લૂંટે છે તો અમે લોકો રાતના લૂંટીએ છીએ. પણ ત્યાગ જોઈને અમારા હૃદયમાં અહોભાવ જાગે છે.” ચોર જેવા ચોરોને પણ આ અનુભૂતિ છે, જે સારી વસ્તુને ચાહે છે. દુનિયામાં તમને એવો કોઈ માણસ નહીં મળે જેના જીવનમાં એકવાર પણ આંતરવૈભવના અનુભવની અભીપ્સા ન જાગી હોય ! આ અભીપ્સાને જ આપણે જગાડવાની છે; પ્રદીપ્ત કરવાની છે. આ અભીપ્સાને જેમ જેમ પોષણ મળતું જાય, પ્રેરણા મળતી જાય તેમ તેમ એ વધારે ને વધારે પ્રદીપ્ત અને પ્રજ્વલિત બને છે. પ્રદીપ્ત અને પ્રજ્વલિત અભીપ્સા એ જ આપણા સમગ્ર જીવનની આશાનું દૃષ્ટિબિંદુ છે. આ સત્ય માનવીને સમજાઈ જાય તો જીવન જીવવા જેવું લાગે, જીવનનું ધ્યેય જડી જાય તો જીવન જીવવા જેવું લાગે. અભીપ્સાની શિખા-પ્યાસ વધતી જ જાય કે “મારામાં છુપાયેલો જે આંતરવૈભવ છે અને હું કઈ રીતે પ્રગટાવું !” આપણામાં જે સુંદર તત્ત્વ છે, એ ભુલાઈ ગયું છે. દુનિયાની ભભકાવાળી વસ્તુઓ સાથે માનસિક રીતે એવા જોડાઈ ગયા છીએ કે એ માનવતાનાં મૂલ્ય : ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy