SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જિંદગી સુધી ન કરવાનાં કામો કરીને થોડા પૈસા એકાદ ઓચ્છવ પાછળ વાપરી નાખ્યા એટલે એમને આવાં વિશેષણો આપવાનાં ? આ ગૃહસ્થો માટે જે વિશેષણો વાપર્યા છે, તેટલા ગુર્ષો તેમનામાં હોય તો હું કહું છું કે મોક્ષ એમનાથી જરાય દૂર નથી. એમને હવે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એ વિશેષણો જોતાં તો એ તરી ગયાં છે એમ જ લાગે ! પણ હું આપને જ પૂછું છું કે આ બધા વાપરેલા ઇલકાબો આપને સાચા લાગે છે ? જેના માટે નરરત્ન અને દાનવીર જેવા શબ્દો વપરાય છે, એને ત્યાં એક ભૂખ્યો માનવી જાય તો એને એક ટંક પણ પ્રેમથી ભોજન મળે ખરું ? સભામાંથી : “ભોજન તો ન મળે, પણ ગાળો તો મળે ને ?” તમે પણ ઠીક કહ્યું. શું મળે ? ગાળો ! અને એવા માટે વળી આવાં વિશેષણો ? કેવા દાનવીર ને કેવા નરરત્ન ! અને આ વિશેષણ આપનારાઓનાં વિશેષણો જોયાં કે ? અર્ધી કંકોત્રી તો એમાં જ ભરાઈ જાય છે ! આ ઇલકાબ જ એટલા બધા છે કે આમાં નામ શધવા જાઓ તો નામ પણ ન જડે. પણ આ ઇલકાબધારીઓ એમ કાચા ગુરુના ચેલા નથી. તેઓ જાણે છે કે હનુમાનજીના પૂછડા જેવી આ પદવીઓમાં આપણું નામ અટવાઈ જશે. એટલા માટે એમણે વાંચનારને વાંચવા માટે સગવડ કરી આપી છે; પોતાનાં નામ બોલ્ડ (મોટા) અક્ષરમાં ને બીજા રંગમાં છાપ્યાં છે ! એ જાણે છે કે પદવીઓમાં નામ અટવાઈ જવાની સંભાવના છે ! અને કેટલીક પત્રિકાઓમાં તો વળી ફોટા મુકાવ્યા છે. અંતે આ ફોટાવાળી પત્રિકાઓમાં તો ગાંઠિયા ને ચટણી બંધાશે, ને ગટરમાં પડીને સડશે. આશાતનાની હદ થઈને ! આવાઓને આજે કહેનાર કોણ ? આ નિર્ણાયક સૈન્ય ક્યાં જશે એ ખબર પડતી નથી. મને તો ભય લાગે છે કે ક્યાંક નીચે ન ઊતરી જાય ! જેમ એક નૌકામાં સો નાવિકો બેઠા હોય અને સો પોતાને ઠીક પડે તેમ હલેસાં મારે તો નૌકાની જે દશા થાય એવી દશા આજ આ સમાજની છે ! આવી ધમાલમાં દાતા શોધ્યાય જડે ? આ તો સૌ કીર્તિ માટે લૂંટાલૂંટ કરવા નીકળેલા બહાદુરો છે ! દાન લેનારા ઊંચા સાદે પેલા કાળાબજારિયાઓનાં વખાણ કરે અને પેલા સમાજને લૂંટવાની ધૂનમાં પડેલા આ મહાનુભાવોના ગુણગાન ગાય. એટલે પરિણામે બંને – ઓછું ભણેલા ગુરુઓ અને સમાજને લૂંટનારા વેપારીઓ – સમાજમાં માન ને પ્રતિષ્ઠા મેળવી જાય. ભોળા લોકો આમાં શું સમજે ? એક સુભાષિત યાદ આવે છે : ૧૬૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy