SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ હું કહુ છું કે : અરે, ભોળા જીવો ! આમ ભ્રાન્તિમાં ખોટા કાં ભમો છો ? પ્રિય, પથ્ય અને સત્ય એ વચનસિદ્ધિનો મંત્ર છે ! સત્યના પ્રકાશથી ઝળહળતું સુમધુર હિતવચન એ રામબાણ છે; એ અફર છે. જેને વાગે તે વિંધાયા વિના ન રહે. એ વચન જેના દિલમાં પેસે ત્યાં પ્રકાશના દીવડા પ્રગટે !’ આજનું વ્યાખ્યાન સમાપ્ત કરતાં એટલું જ કહું છું કે સત્યવાવી ભવેત્ વવત્તા ! સાચો વક્તા તે છે કે જેની વાણીમાંથી સત્યનો પ્રકાશ ઝરે છે ! Not only with our lips but if from our lives એકલા હોઠમાંથી નીકળતા શબ્દોથી નહિ, પણ આપણા જીવનમાંથી પ્રગટતા સત્યના તેજથી આપણી વાણીને રંગી સાચા વક્તા બનીએ ! (૪) દાતા માનવતાનાં સોપાન અંગે આપણે ત્રણ સોપાનનું વિવેચન કરી ગયા. આજે ચોથા સોપાનનો વિચાર કરવાનો છે. ચિન્તકો શબ્દના ઊંડાણમાં કેવું રહસ્ય મૂકે છે તે જુઓ. એ કહે છે કે न दाता अर्थदानतः કેવળ ધન વાપરવા માત્રથી દાતા નથી બનાતું અને માત્ર પૈસા ખર્ચવાથી દાતા થઈ શકાતું હોય તો વાત્તા મતિ વા નવા દાતા હોય કે ન પણ હોય, આવો ગંભીર ભાવ ન કહેત. ― -- ચિન્તકો જાણે છે કે કીર્તિ માટે, ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે, પોતાનાં અપકૃત્યોને દાનના પડદા નીચે ઢાંકવા માટે, અને કેટલાક પુણ્યથી પાપ ઠેલાય એવા ભાવથી પણ દાન કરનારા છે. આવી ભાવના દાન પાછળ ૨મતી હોય તો એ દાન ન કહેવાય. યાદ રાખજો. કેવળ પૈસાથી આત્માની એકેય વસ્તુ ખરીદી શકાતી નથી. ધનથી ચેતનજ્યોતનું એક પણ કિરણ પામી શકાતું નથી. ધનથી માન મળશે, સન્માન મળશે, પૂજા મળશે, પ્રતિષ્ઠા મળશે, કીર્તિ મળશે, અરે ! જડ જગતની કદાચ બધી વસ્તુઓ મળશે, પણ આત્મજ્યોતનું કિરણ ધનથી મળવું મુશ્કેલ છે. એ આત્મજ્યોત મેળવવા માટે ધન સાથે મન પણ જોઈએ. Jain Education International આજકાલ જ્યાં ત્યાં સમાજમાં અપાતાં માનપત્રો અને દીવાલો પર ચોંટેલી કુમકુમ પત્રિકાઓને જોશો તો લાગશે, કે આજ ધનથી કીર્તિ કેટલી સસ્તી મળે છે તેનું આ પ્રદર્શન છે. કેટલીક કુમકુમ પત્રિકાઓ વાંચું છું ત્યારે તો માથું શરમથી નીચું નમી જાય છે. મનમાં એમ થાય છે કે આવા મોટા આચાર્યો આવા નાના માણસોને આવાં મોટાં વિશેષણો આપે છે ! આખી હવે તો જાગો ! * ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy