SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અને શેરીના નાકા પર ઊભી રહીને ભસી રહી છું. હાય રે ? હું કૂતરી ?” ઉતાવળિયા પુરુષે કહ્યું : “આમ લાવ; મને જોવા દે.” અને પોતાની જાતને જોતાં જ એણે રાડ પાડી. “અરે, આ શું ? હું ગધેડો ? ઉકરડા ઉપર ઊભો રહી ભૂકનાર હું ગર્દભ ? અરે, મહારાજ ! જુલમ કર્યો ! તમે અમને આમ જનાવર કાં બનાવો ?” સંતે કહ્યું : “ભલા માણસો ! આમાં હું શું કરું ! તમે જે રીતે જીવો છો તે રીતે આમાં દેખાઓ છો ! માણસ બહારનો આકાર ગમે તે મેળવી શકે, પણ અંદર કૂતરા જેવો છે કે માણસ જેવો, તે જ ખરો પ્રશ્ન છે. જે મનથી સત્યને પુજતો નથી, સત્યને ઉચ્ચારતો નથી, સત્યને આચરતો નથી અને જેનાં મન ને વાચાનો મેળ નથી તે મનુષ્ય હોવા છતાં પણ છે. તે ભાષણ કરતો નથી પણ ભસે છે, બોલતો નથી પણ બકે છે !” આજનું વ્યાખ્યાન એટલે વાણીના તપની વિચારણા. જીવન ગંભીર વિચારણા માંગે છે. બહાર તમે ગમે તે હો, હું એ અંગે કંઈ જાણવા નથી માંગતો, તમે અંદર આવો, અંદર તમે કોણ છો તે મને કહો. સત્યનો ઝબ્બો તો પહેર્યો પણ એ ઝબ્બા નીચે શું છે તે મને કહેશો ? બોલો, મારા ભાઈઓ ! બોલો ! આજે નહિ બોલો તો ક્યારે બોલશો ? મન ને વાણીનો સુમેળ છે કે કુમેળ ? મન ને વાણીએ આપણા જીવનને સંગીતમય બનાવ્યું છે કે બેસૂરું? જીવનમાં શું છે, આનંદ કે અફસોસ ? કોઈને ગૂમડાં થયાં હોય અને ભારે કોટ પહેરીને ફરતો હોય તો કોને ખબર પડે કે આ કપડાં નીચે ગૂમડાં ખદબદી રહ્યાં છે ? ગૂમડાં ભલે બહાર ન દેખાય પણ અંદર તો પીડા થાય ને ચળ ઊપડે ને ? લોહી નીકળે ને ? તમને કોઈ દિવસ અસત્યનું ગૂમડું ખટકે છે ખરું ? એની પીડા થાય છે ખરી ? અસત્યની પીડા જરાય નથી થતી ? કાંઈ નહિ, આજ નહિ થાય તો મરતી વખતે આ ચિત્રો નજર સામે ખડાં થશે. ભૂતાવળની જેમ નાચ્ય કરશે અને અસત્યવાદીઓને મૂંઝવી મારશે. પણ જો આપણા જીવનમાં સત્યનો સૂર્ય ચમકતો હશે તો અંધકારનો જરાય ભય નથી. આપણે કોઈ નાનકડી વસ્તુ ખોઈ બેસીએ છીએ ત્યારે કેટલો બધો અફસોસ થાય છે ? એક રૂપિયો ખોવાઈ ગયો હોય તો કેટલી ચિંતા થાય ? પણ આજે આપણો આત્મા આખો ને આખો અસત્યમાં ખોવાઈ ગયો છે, એનો જરાય વિચાર આવતો નથી. આ કેવું આશ્ચર્ય ! આજકાલ કેટલાક ભોળા માણસો આવે છે અને કહે છે : “કાંઈક મંત્ર બતાવો, કંઈક સિદ્ધ થાય એવો જાપ દેખાડો. આપને વચનસિદ્ધિ આવડે છે.' ૧૫૮ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy