SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ अनुढेगकरं वाक्यं, सत्यं प्रियाहिंत च यत् । स्वाध्यायाभ्यसनं चैव, वाङ्मयं तप उच्यते ।। વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન હોય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિન્તન અને અભ્યાસમાંથી પ્રગટેલી હોય – આ વાણીનું તપ ! આવા તપથી માણસ એ સાચો માણસ બને છે. તપ વિનાની, ચિન્તન વિનાની, અભ્યાસ વિનાની કર્કશ વાણી તો પશુઓ પણ બોલી શકે છે. એમાં માણસ બોલીને શું વધારે કરે છે ? આ હું એકલો જ નથી કહેતો હો ! ગીતા પણ કહે છે કે માણસની વાણી પાછળ તપશ્ચર્યા હોય. તપશ્ચર્યાવિહોણી વાણી તો પશુની હોય ! એક જૂના વખતની વાત છે. જ્યારે માણસો આટલા ચાલાક ને જૂઠાબોલા નહોતા. પણ ભદ્ર ને સાચાબોલા હતા. તે વખતે એક ગૃહસ્થને ત્યાં સંત પધાર્યા. પણ આ ઘરનાં માલિક સ્ત્રી-પુરુષ બહારથી ઘણાં સુંદર અને ભલાં લાગતાં હતાં પણ અંદરથી સાવ જ બેડોળ ! એક મહિનાના પરિચયથી સંત ત્રાસી ગયા. એ ઘરમાં સત્ય, ચિત્તન, સ્વાધ્યાય, મધુરતા કંઈ જ ન મળે. એકલા બાહ્ય વૈભવના આડંબરનો કોલાહલ હતો. સંતે મહિના પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં કહ્યું : “માણસ બનજો !” પુરુષ ધમાલિયો હતો. એણે આ વાક્ય પર જરાય વિચાર ન કર્યો, પણ સ્ત્રી ભારે ચકોર હતી, એ પામી ગઈ. એણે પતિને પૂછ્યું : આપણે માણસ નથી ? શું ઢોર છીએ ? સંતે “માણસ બનજો” એમ શા માટે કહ્યું ? આ સાંભળી પુરુષને પણ જરા વિચાર આવ્યો. વાત સાચી હતી. સંતે આમ કાં કહ્યું ? એણે મનમાં ગાંઠ વાળી, એ ફરી મળશે ત્યારે પૂછીશ. કોઈ પણ વચન ઉપર ઊંડાણથી વિચાર કરીએ તો જ વક્તાની વાણીનો મહિમા સમજાય, નહિ તો શ્રવણ માત્ર એક વ્યસન બની જાય. વ્યસની માણસ પ્રવૃત્તિ કરે ખરો પણ એમાંથી પ્રકાશ ન મેળવે : પ્રકાશ તો ઊંડા ચિંતનથી જ મળે. બે વર્ષ પછી ફરી સંત પધાર્યા ત્યારે પેલી સ્ત્રીએ પૂછ્યું : “મહારાજ ! માણસ થજો એનો અર્થ શું ? શું અમે ઢોર છીએ ?” સંતે પોતાની પાસે એક કાચ તો તે આપતાં કહ્યું : “લો આ કાચ, આ એવો અદ્ભુત છે કે એના ઉપરના ભાગમાં જોશો તો તમે માણસ દેખાશો અને અંદરના ભાગમાં જોશો તો તમે જે છો તે દેખાશે.” સ્ત્રીએ કાચના અંદરના ભાગમાં જોયું ને એ ચમકી. “કાં ?” પતિએ પૂછ્યું. સ્ત્રીએ ભડકીને કહ્યું. “ઓ બાપ રે ! હું તો આમાં કૂતરી દેખાઉં છું, હવે તો જાગો ! = ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy