SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ उष्ट्रकाणां विवाहे तु गर्दभा वेदपाठकाः । परस्परं प्रशंसन्ति अहो रूपं अहो ध्वनिः ||१|| ઊંટભાઈના લગ્નમાં ગધ્ધાભાઈ ગોર બન્યા. ગોર કહે : ‘વાહ ! ઊંટનું કેવું સુંદર રૂપ છે !' ઊંટ કહે : ‘વાહ ! ગધ્ધાજીનો કેવો મીઠો ધ્વનિ છે!' આવી આ સમાજની દશા છે. આવા વાતાવરણમાં ગુપ્ત દાન દેનાર દાતા ક્યાંથી પાકે ? સાધર્મિકોને ટેકો આપનારા, એમનો હાથ ઝાલી ઉપર ચઢાવનારા અને પોતાના ગરીબ ભાઈની આર્થિક રીતે પીઠ થાબડનારા આ કારણને લીધે વાતાવરણમાંથી બહુ જ અલ્પ મળવાના. આ દાતાઓનો ઘણો પૈસો તો વાજાવાળા, બેન્ડવાળા, પ્રેસવાળા અરે રંગબેરંગી મોટી મોટી કુમકુમ પત્રિકા છાપવાવાળા ચાવી જાય છે. બે દિવસ વાહ વાહ થાય અને પછી હવા હવા થઈ જાય ! પહેલાંના જમાનામાં માણસને પાડવા માટે સ્વર્ગલોકમાંથી મેનકા ને અપ્સરાઓ આવતી, હવે એ નથી આવતી, કારણ કે એમને જોઈ માણસો ગાંડા થઈ જાય ! એટલે આજના યુગમાં મેનકા ને અપ્સરા કીર્તિ ને પ્રશંસાના રૂપમાં આવે છે, અને માણસને પાડી દે છે. આજ માણસની જરા પ્રશંસા કરો એટલે ફુલાઈને ફુગ્ગો થઈ જવાનો. વિદ્વાનો આવાઓને સાચા અર્થમાં દાતા નથી કહેતા. ત્યારે દાતા કોણ ? વાર્તા મૂર્તેિ રતઃ । પ્રાણીમાત્રના કલ્યાણમાં જેનું મન રમે છે, તે દાતા. હૈયાના ઊંડાણમાંથી પ્રગટેલી જીવદયાની ભાવનાવાળો દાતા. એટલે જ અભયદાન ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે. આવી દાતૃત્વની ભાવના પ્રગટ્યા પછી પોતાના પ્રભાવથી, પોતાના બળથી કે પોતાના અધિકારથી કોઈનેય ભય ન થાય એની કાળજી રાખે. તમારા હાથમાં તો એક સોટી હોય તોય હાથ સીધો ન રહે ! કાં એ સોટી ઝાડ પર વિંઝાય, કાં કૂતરાના બરડામાં પડે, કાં કોઈ રસ્તામાં જતા ઢોર પર ફરી વળે. એક સોટી પણ ન પચાવી શકાય તો બંદૂક કે તલવાર તો કઈ રીતે પચાવી શકો ? જ્ઞાનીઓ કહે છે : સાચા દાતાની આસપાસ તો એવી હવા હોય કે સૌ અભયનો મુક્ત આનંદ માણતા હોય ! ચૈતન્યદેવનું નામ તો તમે સાંભળ્યું હશે ! માર્ગાનુસારીમાં પણ કેવા ગુણો હોય છે એ હું કહેવા માગું છું. ચૈતન્યદેવ અને રુધનાથ શિરોમણિ બંને સહાધ્યાયી અને બંને પાછા મિત્ર, દોસ્તી એવી કે જાણે પુષ્પ ને પરિમલ. કદી છૂટા ન પડે. અથવા એમ કહીએ તો ચાલે— “મિત્તર ઐસા કીજિયે, જો ઢાલ સરીખા હોય; સુખ મેં પીછે પડ રહે, દુઃખમેં આપ્યું હોય. Jain Education International હવે તો જાગો ! * ૧૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy