SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય ? કોઈનાય ન જાયેલા કે ન જાણેલા દોષોનું વર્ણન કરવું, એમાં રસ લેવો, એમાં સંમતિ આપવી, આ બધો વાણીનો વ્યભિચાર નથી ? આજે કોઈ બે મિત્રો મળે તો ગામની નિંદા કરે – એમાં કોઈ ત્રીજો ભળે તો એ પણ એ બેમાં ભળી નિંદક-મંડળ વધારે. એમ કરતાં એ ત્રણમાંથી એક ચાલ્યો જાય, તો તુરત એ બન્ને ભેગા થઈ, જનારની નિંદા કરવા મંડી પડવાના. આ તે કેવી વાણી ? અરે રે ! શું આ વાણી આ માટે મળી છે ? આમ જો અધર્મયુક્ત વાણીનો વ્યાપાર ચાલશે તો માણસના વચન પર વિશ્વાસ કોણ કરશે ? પ્રજ્ઞ માણસ તો આવો વાણીવિલાસ સાંભળી સમજી જાય કે જે માણસ બીજાની ગેરહાજરીમાં એની નિંદા કરે છે, તે મારી ગેરહાજરીમાં મારી નિંદા કાં ન કરે ? આવો ડહાપણભર્યો વિચાર કરનાર માણસ આવાઓનો મિત્ર રહે ખરો ? આવા માણસને કોઈ સારો માણસ ધારી ન્યાય તોળવા બેસાડે તો એ ન્યાય પણ કેવો આપે ? એની વાણીમાંથી એ જ નીકળે કે, મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું ! ધર્મયુક્ત વાણી કોને કહેવાય અને ધર્મયુક્ત વાણીવાળો માણસ કેવો નિષ્પક્ષપાતી અને નીડર હોય, તેનો એક સુંદર દાખલો ઇતિહાસમાં છે. એક રાજા ધનુર્વિદ્યા શીખતો હતો. રાજાના હાથથી અજાણમાં એક બાણ છૂટ્યું અને એક નિર્દોષ માણસને વાગતાં એ ઘાયલ થયો. ઘાયલની માતાએ આની ફરિયાદ ત્યાંના વડા ન્યાયાધીશ પાસે કરી. તે જમાનામાં રાજ્યનું રક્ષણ જેમ ક્ષત્રિયોના હાથમાં હતું, તેમ ન્યાય અને પ્રજાની સલામતીનું ખાતું પ્રામાણિક એવા ધર્માધિકારીઓના હાથમાં હતું. અને એ ધર્માધિકારી પુરુષ વડા-ન્યાયાધીશ ગણાતા. ન્યાયને વફાદાર એવા ન્યાયાધીશે રાજાને ન્યાયાલયમાં હાજર થવાનો આજ્ઞાપત્ર મોકલ્યો. રાજા આવ્યો ત્યારે એને ઉચ્ચ સ્થાન પર બેસાડવાને બદલે ગુનેગારના પાંજરામાં ઊભા રહેવાની એણે સૂચના કરી. આ દૃશ્ય સૌ જોઈ જ રહ્યા. રાજાએ પોતાનો ગુનો કબૂલ કર્યો. એણે અમુક દંડ કરી રાજાને મુક્ત કર્યો, અને પછી ન્યાયાલયની બહાર આવી ન્યાયાધીશે અતિ નમ્રતાથી રાજાને નમન કર્યું. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા, અને પોતે સંતાડી રાખેલી નાની તલવાર બતાવતાં કહ્યું : “ન્યાયાલયના આજ્ઞાપત્રને માન આપી હું અદાલતમાં હાજર થયો, પણ મને એમ લાગ્યું હોત કે ધર્મ ને ન્યાયથી તમારી વાણી વેગળી છે, તો આ તલવારથી તમારો શિરચ્છેદ અહીં જ કરી નાંખત. પણ તમારી ધર્મ ને ન્યાયમય વાણીથી મને આનંદ થાય હવે તો જાગો ! * ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy