SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોમાં તુચ્છત વધી ગઈ છે. આજ સુધરેલા માણસો પણ કેવું તુચ્છ બોલે છે, તે આ પ્રશ્નોત્તરી પરથી સમજાશે. એક શેઠે નોકરને તુચ્છતાથી કહ્યું : “સાલા ! તારામાં જરાય અક્કલ નથી.” નોકરે નમ્રતાથી ઉત્તર વાળ્યો : “વાત સાચી છે, શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તો હું તમારે ત્યાં નોકરી ન કરત, પણ તમને મારે ત્યાં નોકર રાખત !' બોલો, આમાં બોલનારે શું સાર કાઢો ? એના કરતાં તુચ્છ-હલકાં વચનો ન ઉચ્ચાયાં હોત તો કેવું માન રહેત ? તુચ્છ વાણીથી મિત્ર હોય તોય શત્ર થાય, જ્યારે અતુચ્છ અને સભ્યતાભર્યા વાર્તાલાપથી શત્રુ હોય તોય મિત્ર થઈ જાય. પૂર્વસંવનિતમ્ – જે બોલવું તે સંકલનાપૂર્વક ને પૂરતું વિચારીને બોલવું. વિચારના ગળણાથી ગાળીને કાઢેલું વચન અતિરમણીય હોય છે, ને બોલેલા વચનને ફેરવવાનો પ્રસંગ આવતો નથી. બોલતાં પહેલાં વિચાર કરો કે આ સ્થાનમાં આ બોલવા જેવું છે કે નહિ ? આ બોલીશ તો તેનું પરિણામ શું આવશે ? મારા બોલવાનો શો ઉદ્દેશ છે ? અને જે બોલું છું તેની તેની કેટલી અસર થશે ? – આ રીતે પહેલાં વ્યવસ્થિત કરીને કે વિચાર કરીને ઉચ્ચારેલ વાક્ય ધારી અસર કરી જાય. અરે ! એવું વચન તો રત્ન કરતાંય વધી જાય. શબદ સરીખા ધન નહિ, જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે, શબદ ન આવે મોલ !” એક કવિ કહે છે કે : બોલતાં આવડે તો વચનનું તેજ હીરાના તેજનેય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બોલવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તો હોય જ ક્યાંથી ? એટલે વાણીનો આઠમો ગુણ તે ધર્મસંયુક્ત ! ઘર્મસંયુમ – આપણી વાણીમાં ધર્મ હોવો જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે, ઈશ્વરના જેટલી જ પાવન છે. એનો દુરુપયોગ કેમ થાય ? હું તમને જ પૂછું છું કે તમારી વાણી આજે પવિત્ર છે ખરી ? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉચ્ચારો છો ? જો તમારી વાણીમાં નિંદા હોય, ધિક્કાર હોય, તિરસ્કાર કે પક્ષપાત હોય તો તમારી વાણી પવિત્ર કઈ રીતે ગણાય ? ધર્મસંયુક્ત કઈ રીતે મનાય ? તમને કોઈ સામો મળે તો એની પ્રશંસા કરો, એનાં ગુણગાન કરો, એની વાહવાહ પોકારો અને એ જાય કે તરત એનું ખોદવાનું ચાલુ કર, એ ક્યાંનો ૧૫૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy