SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વાતવાતમાં એક વાત ઉપર જરા વધારે પડતી ચર્ચા થઈ. એમાં દાદાભાઈએ પોતાનો મત દર્શાવ્યો. ત્યાં બેઠેલાં એક બાજુએ અભિમાનભર્યા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું: 'What these ugly and black Indians can understand about it ?” (કદરૂપા અને કાળા હિન્દુસ્તાનીઓ આ બાબતમાં શું સમજે ?) આ સાંભળી દાદાભાઈ નવરોજજીએ ખીસામાંથી આરસી કાઢી, એ બાનુના મુખ આગળ ધરી નમ્રતાથી કહ્યું : 'You can see Your face in it.' (તમે તમારું મોટું આમાં જોઈ શકો છો, કારણ કે આ સ્ત્રીના મુખ કરતાં પોતાનું ઉજ્જવળ ને પ્રતિભાસંપન્ન મુખ જ એની કાળાશ ને કદરૂપતા પુરવાર કરવા પૂરતું હતું. આથી સી હસી પડ્યાં. વિવેકી માણસે તો કામ જ એવું કરવું જોઈએ કે જેથી એનું કામ જ એની પ્રશંસા કરે. માણસને પોતાને તો બોલવાની જરૂર ન પડે. અભિમાન કરતાં નમ્રતાપૂર્વક મૂકવામાં આવેલી વાતને લોકો શાંતિથી સાંભળે છે. બોલનાર નમ્ર રીતે બોલતો હોય તો એની પ્રત્યે લોકોને સહાનુભૂતિ પ્રગટે છે, અને બોલનારના શબ્દો સામાના હૈયામાં સોંસરા ઊતરી જાય છે. નમ્ર વાણી એ વાચાનો અલંકાર છે. મતુચ્છ – વાણી તુચ્છ ન હોવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગંભીરતા અને સહૃદયતા હોવી જોઈએ. આજ આપણાં ઘરોમાં કેવી તુચ્છ વાણી બોલાઈ રહી છે ? ગાળો, તોછડાઈ ને અસભ્યતાથી છલકાતાં આજનાં ઘરો જોઉં છું, ત્યારે હૃદયને લોભ થાય છે. ઉચ્ચ કહેવાતા માણસોનાં ઘરો પણ આજ કેવાં સંસ્કારહીન બનતાં જાય છે ? આર્યાવર્તનાં ઘરોમાં પત્ની પતિને “આર્યપુત્ર' દેવ” “નાથ' કહીને સંબોધતી અને પતિ પત્નીને દેવી' કહીને સંબોધતો. એના બદલે આજ તોછડાઈભય અયોગ્ય સંબોધનોથી ગૃહો ગાજી રહ્યાં છે. બાપ દીકરાને ખોળામાં બેસાડી રમાડતો હોય અને બાળકને રમાડતાં રમાડતાં લાડમાં બાપ કહે છે : “મારો સાળો બહુ તોફાની.” હું એને પૂછું છું કે “ભાઈ ! આ છોકરો તારો સાળો ક્યારે થયો ? કઈ રીતે થયો ?” ત્યારે કહેશે કે, “હું તો અમસ્તો જ બોલું છું. આમ બોલાય છે !' પણ પોતે શું બોલે છે, એનું એને ભાન નથી. છોકરાના કાનમાં ગ્રામીણતાનું કેવું ઝેર રેડાય છે એનો એને ખ્યાલ નથી. છોકરી પાણીનું બેડું ભરીને આવતી હોય અને ઠોકર વાગે ને બેડું ફૂટી જાય તો મા એ દીકરીને કેવાં હલકાં ને તુચ્છ શબ્દોથી ઠપકો આપવાની શરૂઆત કરે ? હું નહિ કહું. તમે જ કહો. હવે તમે નહિ કહો તોય ચાલશે, મનમાં સૌ સમજે છે. મૂળ વાત તો એ છે કે – આપણા હવે તો જાગો ! આ ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy