SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. બે માળ ચઢીને પેલા ભાઈ ઉપર આવ્યા. આવનારનું શ૨ી૨ જરા ભારે હતું. એ હાંફી ગયા. વંદન કર્યા પછી સ્મિત કરી એમણે કહ્યું ‘સાહેબ, આપ તો બહુ જ ઊંચે બિરાજો છો ?’ મહારાજશ્રીએ સ્મિત કરી માર્મિક ઉત્તર વાળ્યો: હા ભાઈ ! અમે ઊંચે છીએ એટલે જ તો તમે વંદના કરવા આવો છો !' આ વાક્યમા શ્લેષ હતો. અમે સદ્ગુણના સિંહાસન પર છીએ એટલે તમે વંદના કરો છો. સદ્ગુણો ન હોય તો અહીં કોણ આવે ? આ ટૂંકા ઉત્તરથી પણ આપણું મન આનંદ પામે છે, કારણ કે આ ઉત્તરમાં મધુરતા, નિપુણતા ને અલ્પતાનું સપ્રમાણ સંમિશ્રણ છે ! कार्यापतितम् ચોથો ગુણ તે ખાસ કંઈ કાર્ય હોય તો જ બોલવું, નહિ તો મૌન રહેવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મૌનથી વાણીમાં ચિન્તન આવે છે. મૌનથી વચનમાં તેજ આવે છે, અને મૌન પછી પ્રગટેલી વાણીમાં કોઈ અજબ જુસ્સો હોય છે. એવી વાણી સાંભળવા ઘણાં હૈયાં તલસતાં હોય છે. પાશ્ચાત્ય પદ્ધતિને લઈને આજ કેટલાક, કોઈ ઠેકાણે ખાણું લે તોય ભાષણ ઝીંકે. જ્યારે રશિયામાં સ્ટેલિન જરૂર વગર કદી ન બોલે. એનું પરિણામ એ આવ્યું કે આપણા આગેવાનોને સાંભળવા કોઈ તૈયાર નથી, ત્યારે સ્ટેલિન ક્યારે શું બોલશે એ માટે લોકો સાંભળવા તલસી રહ્યા છે ! માટે કાર્ય વિના નકામી વાત ન કરવી. વ્યવહારમાં પણ આપણને ઘણા માણસો એવા જોવા મળે છે કે જેમને બોલવાનું ન મળે તો આફરો ચઢે ! બોલે ત્યારે જ જંપ વળે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડે ધડે ફેંકે રાખે ! અંતે સાંભળનારના મનમાં થાય કે આ બલા ક્યારે જાય ? માટે જરૂર પૂરતું બોલવું. गर्वरहितम् આપણી વાણી ગર્વવિહોણી હોવી જોઈએ. વાતવાતમાં આપબડાઈ ક૨વી, પોતાની જ વાત આગળ ધરવી, પોતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી વિવેચન કરવું આ બધું અભિમાનનું સૂચક છે. જ્યારે માણસ આપબડાઈ કરતો હોય છે, ત્યારે વિવેકી સાંભળનાર તો એના પર મનમાં હસતો હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસનું એ સામે ધ્યાન હોતું નથી. પોતાની પ્રશંસામાં પડેલો માણસ વિવેકશક્તિ ખોઈ બેઠો હોય છે, અને અવિવેકી માણસ સામા માણસને સમજવા જેટલો શક્તિશાળી ક્યાંથી થાય ? અભિમાની માણસ કેવો વિવેકશૂન્ય બને છે તેનો તમને એક દાખલો આપું. દાદાભાઈ નવરોજી ઇંગ્લૅન્ડમાં એક વાર ત્યાંના ઉમરાવો સાથે ખાણું લેતા હતા. સારા સારા બુદ્ધિશાળી માણસોએ એ પ્રસંગે હાજરી આપી હતી. Jain Education International - ૧૫૨ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy