SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ “શબદ શબદ તૂ ક્યા કરે ? શબદ કો હાથ ન પાંવ; એક શબદ ઔષધ કરે, એક શબદ કરે ઘાવ.” શબ્દને હાથ કે પગ ભલે નથી, પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એનો ઉપયોગ થયો હોય તો તે એ દાઝેલા હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દ અણઘડ રીતે વાપર્યો હોય તો કોઈના દિલમાં ન હોય તોય જખમ ઊભો કરે. એટલા માટે તો આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તો સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તો ? તો તો જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન થાય. ન બોલવાને ઠેકાણે બોલે, અને બોલવાને ઠેકાણે મૌન થઈ જાય તો કેવું અયોગ્ય થાય ? એટલે વાણીનો બીજો ગુણ છે, નિપુણમ્. વચન જેમ મધુર હોય તેમ સાથોસાથ નિપુણ પણ હોવું જોઈએ. જેની વાણીમાં નિપુણતા હોય તે ખોટી ખુશામત કરે નહિ. કોઈની ખોટી શે'માં તણાય નહિ અને કોઈ બનાવવા આવે તો અવસરે એને ચેતવ્યા વિના પણ રહે નહિ. એક ફૂલણજી પતિ વારંવાર પોતાની પત્ની આગળ પોતાનાં કુળ, જાતિ, ગૌરવ અને કુટુંબનાં વખાણ કરતો, આથી સ્ત્રી કંટાળી જતી. એક વાર પતિએ પૂછ્યું : “મારાં સગાઓ પર તારો પ્રેમ કેવો છે ?' નિપુણ શબ્દોમાં પત્નીએ ઉત્તર વાળ્યો : “પ્રાણનાથ ! આપનાં સગાઓ પર મારો પ્રેમ કાં ન હોય ? હું તો મારી સાસુ કરતાંય આપની સાસુને વધારે ચાહું છું !” આ મધુર છતાં નિપુણ ઉત્તર સાંભળ્યા પછી એના પતિને થઈ ગયું કે અહીંથી ખોટી બડાઈ કે ખુશામત સાંભળવા નહિ મળે. આ ઉત્તરમાં મધુરતા ને નિપુણતાનું મિશ્રણ છે. ત્રીજો ગુણ છે : રતીમ્ | સ્તોત્રમ્ એટલે થોડું. બોલવું ખરું પણ થોડું બોલવું. જરૂર પૂરતું જ બોલવું. બહુ બોલ બોલ કરનારના વચનની કિંમત હોતી નથી. બહુ ભાષણો કરનાર, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે શિખામણ દેનાર વાચાળમાં ખપી જાય છે. એના પર લોકોને વિશ્વાસ બેસતો નથી. એ બોલે તો લોકો એને શાન્તિથી સાંભળે નહિ. અને સાંભળે તો એના પર વિશ્વાસ બેસે નહિ, માટે થોડું બોલવું, જરૂર પડે ત્યારે બોલવું અને થોડા શબ્દોમાં ઘણું કહેતાં શીખવું. એક પ્રસંગ મને યાદ આવે છે. મુંબઈમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા એક ગૃહસ્થ આવ્યા હવે તો જાગો ! = ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy