SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (3) સત્ય ગિરિરાજના કોઈ ઉન્નત શિખર ઉપર ચઢવું હોય તો એકદમ કૂદકો મારી ઉપર ન જવાય પણ ક્રમે ક્રમે સોપાન દ્વારા ઉપર પહોંચાય, તેમ માનવતાના ઉન્નત શિખરે પહોંચવા માટે પણ જ્ઞાનીઓએ ચાર સોપાન નક્કી કર્યાં છે : શૂર, પંડિત, વક્તા ને દાતા. જેનામાં શૌર્ય હોય તે શૂર, જેનામાં પાંડિત્ય હોય તે પંડિત, જેનામાં વક્તૃત્વ હોય કે વક્તા, જેનામાં દાતૃત્વ હોય તે દાતા. ગયા પ્રવચનમાં વિચારી ગયા કે રણમાં જીતે તે શૂર નહિ, પણ ઇન્દ્રિયોને જીતે તે શૂર. શાસ્ત્રો ભણી જાય તે પંડિત નહિ, પણ ધર્મને આચરે તે પંડિત. તેવી જ રીતે વાણીવિલાસ કરનારો એ વક્તા નહિ પણ સત્યને ઉચ્ચારે તે વક્તા. Padlock ઇંગ્લૅન્ડમાં એક સંસ્થા છે. સત્યના સિદ્ધાન્તની સભા Society. આ મંડળમાં ઉમરાવ કુટુંબથી માંડીને ગરીબ કુળમાં જન્મેલો માણસ પણ સભ્ય થઈ શકે છે. એ મંડળની વિશેષતા એ છે કે એના નિયમોને નહિ પાળનાર વડાપ્રધાનને પણ માન ન મળે, જ્યારે એના નિયમોને પાળનાર એક સામાન્ય વ્યક્તિને પણ માન મળે, એવું એનું બંધારણ છે, અને એના બંધારણીય સિદ્ધાન્તો અનુસાર જે વર્તે તે જ એનો સભ્ય ગણાય. આ મંડળના સભ્યો તો મુઠ્ઠીભર જ છે, પણ જે છે તે પૂરેપૂરા કસાયેલા છે. એમાં દાખલ થનારે આટલી પ્રાથમિક વિધિ કરવાની હોય છે. ત્યાં એક ચાંદીનું તાળું ને સોનાની કૂંચી છે. સભ્ય થનારે એ તાળાને ત્રણવાર ઉઘાડવાનું ને ત્રણ વાર બંધ કરવાનું હોય છે. આ રીત આપણને કેટલી વિચિત્ર લાગે ? પણ આપણે જો ઊંડા ઊતરીશું તો આપણને ખબર પડશે કે આ ઉઘાડ-વાસ કરવાની પાછળ કેવો ભવ્ય ઉદ્દેશ છે ! Jain Education International તાળું વાસનારો આવો સંકલ્પ કરે છે : આજથી હું મનથી કોઈનુંય બૂરું ચિત્તવવાનું બંધ કરું છું, વચનથી કોઈનુંય ખરાબ બોલવાનું બંધ કરું છું, ને કાયાથી કોઈનુંય ખરાબ નહિ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. ચાંદીના તાળાને સોનાની ચાવીથી બંધ કરું છું. એટલે ચાંદી જેવા ઉજ્જ્વળ મુખને હું પ્રતિજ્ઞાની સુવર્ણકૂંચીથી બંધ કરું છું. આ મુખરૂપી તાળું ત્યારે જ ઊઘડશે કે જ્યારે આમાંથી સત્યની કે પ્રશંસાની વાણી ટપકશે. અસત્ કે નિંદા માટે તો આ મુખ હવે પછી બંધ છે. મારાં નયન સત્યને જોશે, અસત્યને નહિ. મારા કાન સત્યને - હવે તો જાગો ! * ૧૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy