SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જૂઠું બોલું ખરો ? ભાઈ, જૂઠું બોલીને કેટલા ભવ કાઢવા છે ? આપણે તો સાચું બોલીએ, એક જ ભાવ, અને હું ખોટું કહેતો હોઉં તો ભાઈના ગળાના સમ !” એમ કહી ઘરાકના ગળે હાથ નાખે, પણ એને ક્યાં ખબર છે કે ભાઈ મરી જાય તો આ ભાઈને તો નહાવા-નિચોવવાનુંય નથી. એને તો માત્ર ધંધાદારી સમ જ ખાવા છે ને ? આ રીતે માણસ મનમાં કંઈક ઘાટ ઘડતો હોય, વચનમાં વળી કંઈ જુદું બોલતો હોય, અને કાયાથી વળી ત્રીજું કરતો હોય, છતાં દંભ કરનાર માણસ સૌમ્ય ગણાય અને ચેતવણી આપી શિકાર કરનારો સિંહ ક્રૂર ગણાય ! આ સરખામણી કરીને હું શું કહેવા માગું છે, એ તમારા ધ્યાનમાં આવ્યું જ હશે. હું આખી માનવજાતને સિંહ સાથે નથી સરખાવતો, પણ જે ધર્મ ભૂલ્યા છે, એવાઓની આ વાત છે. જે પોતાના ધર્મને સમજે છે, જેમને પોતાના કર્તવ્યનું ભાન છે, તે તો માનવકોટિમાં દેવ છે. પણ જે ધર્મને ભૂલે છે, કર્તવ્યને યાદ કરતા નથી, વિવેકને છોડે છે, તે તો આ સિંહ કરતાં કોઈ રીતે શ્રેષ્ઠ નથી જ. ભલે એ શહેરી, અહિંસક કે સૌમ્ય કહેવાતા હોય. વિશેષણોની મહત્તા નથી પણ વિશેષણોને અનુરૂપ જીવન જીવનારની જ મહત્તા છે. આમ જુઓ, આ ઘડિયાળ ટકોરા મારીને કહી રહી છે કે – સમય થઈ ગયો છે, એટલે હું આજના પ્રવચનનો ઉપસંહાર કરું છું. આજના પ્રવચનમાં આપણે માનવતાનાં ચાર સોપાનમાંથી બે સોપાનનો વિચાર ઘણા જ વિસ્તારથી કરી ગયા. પહેલું સોપાન તે ઇન્દ્રિયવિજય. ઇન્દ્રિયોને જીતનાર તે શૂર. અને શૂર બને છે, તે બીજા સોપાન પર ચઢી પંડિત બને. પંડિત વાતોડિયો ન હોય પણ ધર્મનું આચરણ કરનારો હોય. મીઠાઈઓ ગણાવવા કરતાં એક સૂકા રોટલાને પીરસવામાં માનનારો હોય તે પંડિત ! પંડિત વાણીવિલાસમાં ન માને પણ આચરણને માને ! માનવતાનું ત્રીજું સોપાન તે વક્તા. સત્યથી પવિત્ર થયેલી વાણીને વદે તે વક્તા. ચોથું સોપાન તે દાતા. દાતા કોણ ? પ્રાણીના હિતને ચિત્તવતો હોય, જીવ માત્રના કલ્યાણમાં જેનું મન રમતું હોય અને અભયદાનને આપતો હોય તે દાતા. ઇન્દ્રિયો પર કાબૂ મેળવો, મનોમલને દૂર કરો, ધર્મનું આચરણ કરો અને આ સંસારમાં માનવતાની સૌરભ મહેકાવો એ જ શુભેચ્છા. ૧૪૮ કે માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy