SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ એ શિકાર કરે એમ માનો છો ? ના, ના. એ નાના ક્ષુદ્ર પ્રાણીઓનો શિકાર કદી ન કરે. એ પોતાના સોડિયા હોય એવાં પ્રાણીઓનો જ શિકાર કરે. મદોન્મત્ત હાથી કે એવાં મોટાં પ્રાણીઓને જ પકડે. હવે, મનુષ્ય કોનો શિકાર કરે ? શું પોતાના જેવા સમૃદ્ધ માણસને એ છેતરી શકે ખરો ? એ તો કોઈ ભોળા નિર્દોષ અને ઓછું ભણેલાને છેતરવાનો. પોતાથી મોટા માણસનો શિકાર કરવા જાય તો એના દાંત ખાટા થઈ જાય ! એવા મોટાના તેજમાં તો માણસ પતંગિયું થઈને પડતો હોય છે. એવાનો શિકાર કરવા જાય તો એ પોતે જ એનો શિકાર થઈ જાય. માણસ તો પોતાનાથી જે ઊતરતો હોય, એને જ શીશામાં ઉતારવાનો અને ભોળાને છેતરી મનમાં મલકાવાનો, છતાં આશ્ચર્ય તો જુઓ માણસ અહિંસક અને સિંહ હિંસક. હલકા જંતુ પર ત્રાપ નહિ મારનારો સિંહ ભયંકર ગણાય અને નાના નાના માણસોને જ છેતરવામાં બહાદુરી માનનારો માણસ દયાળુ ગણાય. હવે ત્રીજી વાત. સિંહ શિકાર ક્યારે કરે, એ જાણ્યું, શિકાર કોનો કરે, એ પણ જાણ્યું, હવે શિકાર કઈ રીતે કરે, એ વિચારીએ. સિંહ અણધાર્યો કોઈનાય પર ન ત્રાટકે. ત્યારે એ કઈ રીતે ત્રાટકે ? પહેલાં એ ગર્જના કરે, ત્રાડ નાખે, પૂછડું પછાડે, સામાને ચેતવણી આપે, અને સાવધાન કરી પછી એ ત્રાટકે ! જ્યારે માણસ, સામા માણસને છેતરતો હોય ત્યારે ચેતવણી આપે ખરો ? એ ઘરાકને એમ કહે ખરો કે, “અમારે ત્યાં અસત્ય બોલાય છે, નવો માલ બતાવી જૂનો માલ અપાય છે. કાળબજાર કરાય છે. અમારે ત્યાં આવનારે સાવધાન થઈને આવવાની જરૂ૨ છે.” એમ કહેનારો વેપારી તમને કોઈ મળ્યો ? જો કે નહિ હોય એમ ન કહેવાય. પણ હોય તો એવા કેટલા ? એવો કોઈ આ સભામાં છે ખરો ? નથી. ત્યારે વેપારી પોતાની દુકાન પર શું રાખે છે ? પ્રમાણિકતાનાં પાટિયાં, સંત-મહાત્માઓના ફોટા, મહાન નેતાઓની છબીઓ આ બધું શા માટે ? અહિંસામાં જરાય ન માનતો હોય, અહિંસાના એક પણ સિદ્ધાન્તને ન પાળતો હોવા છતાં ખાદી પહેરીને ફરતો હોય છે, આ બધું શા માટે ? લોકોના દિલ પર પ્રમાણિકતાની છાપ બેસાડવા માટે ને ? અને પ્રમાણિકતાની છાપ પડ્યા પછી માણસ, માણસની સાથે વાતો કરતો હોય ત્યારે મોઢામાંથી સાકર ઝરતી હોય એવું બોલતો હોય છે. માદકતાની એવી ભૂરકી છાંટે કે સામો માણસ એ વાણીના ઘેનમાંથી જાગી જ ન શકે. માણસ પોતાના ઘરાકને સમજાવતાં શું કહે છે ? ‘અરે ભાઈ ! હું તે Jain Education International હવે તો જાગો ! * ૧૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy