SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આપ મને કંઈક એવો સંદેશ આપો, જે લઈ હું મારી માભોમ તરફ જાઉં, અને એ અમર સંદેશ મારા જીવનમાં ઉતારી, એ દિવ્ય સંદેશ મારા દેશબાંધવોને પહોંચાડું !.” જોયું, ત્યાગનો પ્રભાવ કેવો છે ? સિકંદર જેવો ઘમંડી પણ ત્યાગ આગળ ઝૂકી પડ્યો. વિશ્વની એવી કોઈ તાકાત નથી, જે ત્યાગ સામે પડકાર કરે ! સૂર્યનો ઉદય થતાં જેમ અંધકારના ડુંગરા પણ ઓગળી જાય, તેમ ત્યાગનો મહિમા પ્રગટતાં, ભોગીઓ એની આગળ ઓગળી જાય ! અને તેથી જ કોઈનેય નહિ નમનારો અક્કડ સિકંદર નમ્ર બની સંતના ચરણોમાં ઢળી પડ્યો. એના આત્માનાં દ્વાર ઊઘડી ગયાં, અને ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય બન્યો. તમારે પણ ઉપદેશ સાંભળવા માટે આવી નમ્રતા અને જિજ્ઞાસા કેળવવી જોઈએ ને ? નમ્રતા અને જિજ્ઞાસા વિનાના શ્રોતાને ઉપદેશ સંભળાવવો એ તો ઊંધા ઘડા પર પાણી રેડવા જેવું છે, એથી બંનેને નુકસાન થાય. પાણી નિષ્ફળ જાય ને ઘડો ખાલી ને ખાલી રહે. જો કે આ તો વિવક્ષાએ વાત છે, નહિતર વક્તાને તો એકાંતે લાભ જ છે. એ તો એક કલાક નિર્જરા જ કરતો હોય છે. પણ સાધારણ રીતે વ્યાખ્યાનકારે પણ સભાનિરીક્ષણ તો કરવું જ રહ્યું કે – આમાં કોની કેટલી પાત્રતા છે ? પાત્રતાનો પ્રભાવ કોઈ અજબ છે ! પાણી એકનું એક જ છે, પણ પાત્રના ભેદથી પરિણામ જુદું આવે છે, સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં પડે તો મોતી થાય, ફળદ્રુપ ભૂમિમાં પડે તો સારું અનાજ થાય, ને સર્પના મોંમાં પડે તો ઝેર થાય. पात्राऽपात्रविवेकोऽस्ति, धेनुपन्नगयोरिव ।। तृणात् संजायते क्षीरः, क्षीरात् संजायते विषम् ।। પાત્ર અને અપાત્રનું કેટલું અંતર છે, તે બતાવવા માટે આ એક સુભાષિત જ બસ છે. ગાયને તૃણ-ઘાસ ખવડાવો તો તેનું દૂધ થાય અને સર્પને દૂધ પાઓ તો તેનું હળાહળ ઝેર થાય ! પાત્રનો કેવો પ્રભાવ ! | મુનિએ પણ સિકંદરમાં હવે નમ્રતા અને જિજ્ઞાસા દ્વારા પાત્રતા જોઈ, અને કહ્યું, “તમે જે આપી ન શકો તો તમારે લેવું નહિ... !” મુનિનું આ રહસ્યપૂર્ણ વાક્ય એમને ન સમજાયું, એટલે સિકંદરે કહ્યું : “હું આ મહાવાક્યનો અર્થ સમજી શક્યો નથી એટલે કૃપા કરી આપ મને વિસ્તારથી સમજાવો.” ૧૩૪ ૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy