SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાપૂર્વક સંતે કહ્યું : રાજન ! કોઈનું લૂંટેલું ધન તમે એને પાછું આપી શકો છો, કોઈનું ઝૂંટવેલું રાજ્ય પણ તમે પાછું અર્પી શકો છો; પણ કોઈના લીધેલા પ્રાણ તમે પાછા આપી શકો ખરા ? જે પ્રાણ દેવાનો અધિકાર તમને નથી તે પ્રાણ લેવાનો અધિકાર પણ તમને નથી. માણસ બધી વસ્તુઓ આપી શકે છે, પણ એ જીવન કોઈનેય આપી શકતો નથી, તો પછી બીજાનાં જીવન યુદ્ધના બહાનાથી લેવાનો હક્ક તમને કોણે આપ્યો... ?” સંતનાં આ વચનો સાંભળી એનો આત્મા નાચી ઊઠ્યો. યુદ્ધવિરામ અને અહિંસાનો મહામંત્ર એને આ વચનોમાં દેખાયો. અને અહિંસક જીવન જીવવાની પ્રતિજ્ઞા લઈ મુનિને પ્રેમ અને બહુમાનથી નમન કરી, એ પોતાના દેશ ભણી ઊપડ્યો. ઍરિસ્ટોટલે સિકંદરને પૂછ્યું : “કેમ, મેં મંગાવેલી વસ્તુ લાવ્યા ? ન લાવી શક્યા ને ? ભાઈ ! મારે એ સંતને અહીં લાવવા નહોતા, પણ મારે તો તમારું ઘેન ઉતારવું હતું. સત્તા ને શ્રીમંતાઈથી જગતની બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકાતી હોય તો પણ, ત્યાગ તો નથી જ ખરીદી શકાતો. સત્તા ને શ્રીમંતાઈ આગળ બીજી કોઈ પણ વસ્તુ પીગળી શકે, પણ ત્યાગ જ એક ઉન્નત અને અણનમ રહી શકે છે. સર્વ વસ્તુને ભય છે, પણ ત્યાગ એક જ અભય છે.' ઍરિસ્ટોટલની આ વાત સાંભળી સિકંદર એમને ભેટી પડ્યો. (૨) धर्मं चरति पण्डितः સંત અને સિકંદરના આ પ્રસંગ દ્વારા ઇંદ્રિયોને જીતે તે શૂર, આ વાત આપણે વિચારી ગયા. હવે આવે છે. પંડિત. પંડિત કોણ ? શાસ્ત્ર ભણે, શ્લોકો પોપટની જેમ બોલી જાય કે ભડભડ સંસ્કૃત બોલવા માંડે એટલા માત્રથી તે પંડિત ન કહેવાય. પંડિત તે જ કહેવાય છે કે જે ધર્મને વિવેકપૂર્વક આચરતો હોય, પોતાની ફરજ જે સમજતો હોય, અને અત્યારે પોતાનું પ્રાપ્ત કર્તવ્ય શું છે, એનો વિચાર કરી, અયોગ્યને છોડી યોગ્યનો આદર કરતો હોય; તે પંડિત કહેવાય. આવો પંડિત આ દુનિયાના ભોગમાં રાચે ખરો ? એ વિલાસનાં સાધનો મેળવી નાચે ખરો ? એ જગતની સંપત્તિમાં નાચે એમ તમે માનો છો ? ત્યારે સાચો પંડિત આ દુનિયાને શું માનેે ? સાચો પંડિત આ દુનિયાને એક વિશાળ મુસાફરખાનું માને. આ મુસાફરખાનામાં રોજ લાખો આવે છે અને લાખો જાય છે. માણસ માને છે; હું કંઈક છું. એ હું-પદના ઘમંડમાં ડોલનારા પણ ધૂળમાં મળી ગયા. જેઓ Jain Education International હવે તો જાગો ! * ૧૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy