SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમની દૃષ્ટિ ખોવાથી તું મરીને સાપ થયો. મૈત્રીની દૃષ્ટિ ખોઈને ઝેરી દૃષ્ટિ કેળવી, એટલે તું સંત મટી સર્પ થયો !'' ભગવાન મહાવીરની પ્રેમના પ્રકાશથી ભરેલી અમરવાણી સાંભળી સર્પને પણ આત્મજ્ઞાન થયું. એણે ઝેરને વમી અમૃતનો માર્ગ લીધો. સર્વ સમર્પણ કરી, અનશન સ્વીકારી, અમરત્વને પામ્યો. “આહ ! પ્રેમનો કેવો પ્રભાવ ! પ્રેમના સામ્રાજ્યમાં કોઈ વૈરી નથી, કોઈ ઝેરી નથી, કોઈ અધમ નથી, કોઈ ઉત્તમ નથી, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી ! ત્યાં તો કેવળ નિર્ભયતા અને વાત્સલ્યનો પ્રકાશ વિલસે છે ! મુનિએ કહ્યું : સિકંદર ! માનવી મૃત્યુથી ગભરાય છે, કારણ કે એણે ઇન્દ્રિયવિજય કર્યો નથી. જો એણે ઇન્દ્રિયોને જીતી જ હોય તો તે એમ જ કહે : અનન્તના પ્રવેશદ્વારે, મૃત્યુ તો પરિચારિકા, જે જીર્ણ વસ્ત્રો પરહરીને, નવીનને પહેરાવતી; એ મૃત્યુથી કે માનવી ! તું કાં કરે ? તું શાં ડરે ?” મૃત્યુ આવે તો આવવા દો. એ નવાં નવાં વસ્ત્રો પહેરાવનારી સુંદર સેવિકા છે. એને જોઈ ગભરાઓ છો શા માટે ? પણ આ સુંદરી તેને જ નવાં ને સુંદર વસ્ત્રો પહેરાવે છે કે જેણે જીવનમાં કંઈક સારાં કાર્યો કર્યાં હોય, જેણે સંયમ પાળ્યો હોય, પ્રેમની હવા ફેલાવી હોય, વાત્સલ્યનો પ્રકાશ પાથર્યો હોય. એવો માણસ તો મૃત્યુ-કુમારિકાને જોતાં આનંદ પામવાનો, પણ જેણે ઇન્દ્રિયોને જીતી નથી, વેર-ઝેરનો દાવાનળ પ્રગટાવ્યો છે, એવો માણસ તો મૃત્યુનું નામ સાંભળતાં જ કંપી જવાનો ધ્રૂજી ઊઠવાનો ! તમે મરણથી ગભરાઓ છે કે નિર્ભય છો ? જો ગભરાતા હો તો એ ભયનું કારણ શોધી કાઢો. સત્કર્તવ્યોનો અભાવ અને ઇન્દ્રિયગણની સ્વચ્છન્દતા તો મૃત્યુના ભયનું કારણ નથી ને ? એ સિવાય બીજું શું હોઈ શકે ? સંતનાં આ પ્રભાવશાળી વીર વચનો સાંભળી સિકંદર એમના ચરણોમાં ઢળી પડ્યો. એણે કહ્યું, “હવે મને સમજાય છે કે મારા ગુરુએ જૈન સાધુની માગણી કેમ કરી ! મારા અભિમાનને ગાળવા જ એમણે ભલામણ કરી હતી. આત્મા માટે દેહને ફૂલ કરનારા વીરો પણ આ વિશ્વમાં છે એમ આપનાં દર્શન પહેલાં મને કોઈએ કહ્યું હોત તો હું ન માનત. પણ આજ આપનાં દર્શનથી તો એ સત્યની મને ખાત્રી થઈ છે. આપના મિલનથી મને સમજાયું કે જગતને જીતનાર કરતાં પણ ઇન્દ્રિયોને જીતનાર મહાન છે વીર તે જ કહેવાય છે કે, જે વાસનાનો ગુલામ નહિ, શૂરવીર છે ! ધીર ને પણ જે સંતોષનું સંતાન Jain Education International - --- હવે તો જાગો ! * ૧૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy