SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ એનો હાથ સોનાના મૂઠાથી ચમકતી તલવાર પર ગયો અને તેજસ્વી તલવાર મ્યાનમાંથી બહાર નીકળી. ચાંદની જેવું શાંત ને મધુર સ્મિત કરી આત્મશ્રદ્ધાથી ઝળહળતા શબ્દોમાં મુનિએ કહ્યું, “સિકંદર, દિગ્વિજયી સિકંદર ! જરા શાંત થાઓ. આ સમરાંગણ નથી, પણ સમતાંગણ છે ! અને તલવાર તો રાજન ! શરીરને છેદે, પણ તમારી સામે તો આત્મા છે, આત્મા શસ્ત્રોથી છેદાતો નથી, પાણીથી ભીંજાતો નથી, પવનથી સુકાતો નથી, ને પ્રચંડ અગ્નિની જ્વાળાઓથી પણ દાઝતો નથી. આત્મા તો અમર છે. નાશ પામે એ તો આ શરીર છે રાજન ? શાશ્વત આત્માને અશાશ્વત તલવાર કઈ રીતે કાપી શકે ?” જીવનમાં કદી નહિ સાંભળેલી સંતની અજેય વાણી સાંભળતાં સિકંદરનું હૃદય આત્માની અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યું. આત્માની પ્રચંડ શક્તિનું ભાન એને થવા લાગ્યું. મૃત્યુના ગુરુ જેવા આ સંતના શબ્દો સાંભળતાં, એના હાથમાંથી તલવાર સરી ગઈ. સમરાંગણના મોરચા પર એણે મરણિયા થઈ ઘુમતા લાખો વીર યોદ્ધા જોયા હતા; પણ મૃત્યુના મંડપમાં પણ આ સંતના મુખ પર અમરતાની જે કાન્તિ ઊપસી આવી, તે તો સાવ જ અલૌકિક હતી. આની સાથે જાણે કોઈનીય સરખામણી ન થાય ! આ શબ્દો ગંભીરતાથી વિચારવા જેવા છે. આવા મરણોપસર્ગના વિષમ સમયે પણ મુનિ કેવો નિર્ભય ઉપદેશ આપે છે ? કારણ કે એમણે ઇન્દ્રિયોના વિષયને જીતી, આત્મસ્વરૂપ જાણ્યું છે. ઇન્દ્રિયોના વિજેતાને મરણ ધ્રુજાવી શકતું નથી, એથી તો મરણ પોતે જ ઘૂજે છે ! મરણનો ભય વધ્યો છે, મરણનું નામ સાંભળીને કંપે છે; કારણ કે અમરતાની વાત ભુલાઈ અને કાયાની માયા વધી. કાયાની મમતાએ માણસને પામર બનાવ્યો છે, સત્ત્વહીન બનાવ્યો છે અને હિંસક ભાવનાથી તરબોળ બનાવ્યો છે. જેણે અમરતાનાં ગીત ગાયાં છે. એ તો વિષમ વિપત્તિમાં પણ નિર્ભય ને વાત્સલ્યભર્યો હોય. ચંડકૌશિક નાગ જ્યારે ચારે બાજુ પોતાની વિષદૃષ્ટિ ફેંકતો હતો અને પ્રાણીઓનો સંહાર કરતો હતો ત્યારે પ્રેમદૃષ્ટિ લઈ પ્રભુ મહાવીર ત્યાં પહોંચ્યા. એમને જોતાં જ વિષધર ધસી આવ્યો. કુંફાડો મારી, પ્રભુના ચરણે જોરથી ડંખ મારી દૂર ભાગ્યો. એના મનમાં એમ જ હતું કે, હમણાં માં કાતિલ ઝેરથી મૂર્શિત થઈ આ માણસ મારા પર ગબડશે પણ ત્યાં તો પ્રભુએ એમની અમીભરી પ્રેમદૃષ્ટિ એ વિષધર પર વર્ષાવી અને બોલ્યા : “ઓ ચંડકૌશિક ! જરા સમજ ! બૂઝ ! તું કોણ હતો, તેનો તો તું વિચાર કર. તું તો એક વખત પવિત્ર સાધુ હતો, પણ ક્રોધ કરવાથી અને ૧૩૨ - માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy