SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જગતને જીતવું સહેલું છે, જગત પર પશુબળથી સામ્રાજ્ય ચલાવવું એ પણ સહેલું છે; પણ ઇન્દ્રિયો પર વિજય મેળવવો, ઇન્દ્રિયો પર આત્માનું સામ્રાજ્ય ચલાવવું એ કઠિન નહિ, પણ અતિ દુષ્કર છે. સાચો વિજયી, તે દેશને જીતનારો નહિ, પણ ઇન્દ્રિયો અને મનને જીતનારો છે. ઇન્દ્રિયો જેના કાબૂમાં નથી, મન જેના હાથમાં નથી, એને વિજયી કેમ કહેવાય ? એ તો પરાજિત, પરતંત્ર ગણાય. માણસ માને છે કે હું ભોગને ભોગવું છું; પણ ખરી રીતે ભોગો માણસને ભોગવી રહ્યા છે. માણસ ચા પીતો હોય છે ત્યારે ચાને અમૃત માની ગર્વથી કહે છે કે, “હું ચા પીઉં છું.” પણ પચ્ચીસ વર્ષ પછી શક્તિ ક્ષીણ થતાં ખબર પડે છે કે ના, હું ચા નહોતો પીતો, પણ ચા મને પી રહ્યો હતો. હું ચાને આધીન હતો. બીડી પીનારા પણ ઘણી વાર તાનમાં આવી કહે છે કે – અમે બીડીની મજા માણીએ છીએ. બીડી એ તો સ્વર્ગની સીડી છે ! આવું બોલનારાઓનું વૃદ્ધાવસ્થામાં હૈયું ખવાઈ જાય છે અને આખી રાત ખેં ખૂ કરી ઊંધે નહિ અને પાડોશીને ઊંઘવા પણ દે નહિ, ત્યારે એને ખબર પડે છે કે બીડીની મજા હું નહોતો માણતો, પણ બીડી મારા કાળજાની મજા માણતી હતી. આજ સ્વતંત્રતાના નામની બાંગ પોકારનારા તો ઘણા મળે છે; પણ સ્વતંત્રતા એ કયા પંખીનું નામ છે એ તો મને સમજાવો ! જીવન પર જરા કાબૂ રાખવો નહિ ને છાતી ઠોકીને સ્વતંત્રતાની વાતો કરવી છે ? માણસની આંખો અપવિત્ર રૂપ અને અજીઠા લાવણ્યને માટે તલસતી હોય; જીભ ભઠ્યઅભક્ષ્યનો વિચાર કર્યા વિના જુદી જુદી વાનગીઓ ચાખવા તલસાટ કરતી હોય; કાન ન સાંભળવા લાયક વાતો અને નિંદાઓ સાંભળવા તૈયાર હોય; ચામડી અપવિત્ર અને સુંવાળા સ્પર્શી માટે ઝંખના કરતી હોય; મન બીજાનું ભૂંડું ચિંતવતું હોય; નાકને સુંદર સુવાસ આપવા માટે કુદરતનાં દીધેલાં કોમળ પુષ્પોનો કચ્ચરઘાણ કાઢતો હોય. નાદિરશાહે માણસનાં માથાં કાપી જેમ થાંભલામાં મઢ્યાં, તેમ માણસ પણ સુંદર ફૂલોને છોડથી છૂટાં કરી ફૂલદાનીમાં મઢતો હોય, દુર્ગધ કહી ગરીબીથી દૂર ભાગતો હોય, તો કઈ રીતે માનવું કે માણસે ઇન્દ્રિયોને જીતી છે અને એ સ્વતંત્ર બન્યો છે ? આ તો સારું છે કે માણસના હૈયામાં સામાના વિચારો જોવાની બારી નથી. એવી બારી હોત તો કેવું પરિણામ આવત ? માણસ છપ્પન ઇંચનો ડગલો પહેરી, શાહ થઈ આગળ બેસી શકે છે, તે બેસી શકત ખરો ? માણસના વિચારો એ બારી દ્વારા બીજા માણસને દેખાત તો માણસ માનવ ૧૨૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy