SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા ઉપદેશકો અને સાચા જિજ્ઞાસુ શ્રોતાઓ આટલા બધા હોય તો જગતનું ચિત્ર આવું હોય ? આવી સ્વાર્થની આંધી હોય ખરી ? એટલે જ પ્રશ્ન થાય છે કે ઉપદેશને જીવન સુધારવા માટે સાંભળનારા સાચા જિજ્ઞાસુ શ્રોતા કેટલા ? કેટલાક આગમો અને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ તે જીવન સુધારવાની બુદ્ધિથી કરે છે કે પછી એમાંથી પણ વિજ્ઞાનના મારકણા પ્રયોગો કરવા માટે કરે છે ? કહેવાય છે કે શાસ્ત્રો જર્મનીમાં ગયાં, ત્યાં વંચાણાં, શોધાણાં અને એમાથી અણુવાદ અને પરમાણુવાદ સિદ્ધ કર્યો, અંતે એમાંથી નીકળ્યો તો એટમ બોમ્બ (atombomb) ને ? શાસ્ત્રોનો પણ કેવો ઉપયોગ ? જે સર્જનહાર હતું તેને જ સંહારક બનાવ્યું ? કારણ કે માનવ માનવતાના સામે મોરચે જઈને ઊભો છે. સામા મોરચે ઊભેલા માનવને માનવતાની નિકટમાં લાવવાના સાધનો જીવનદ્રષ્ટાઓ આપણને ચીંધી ગયાં છે. એ સાધનોનો વિચાર આ પ્રસંગે કરવાનો છે. ક્રમે ક્રમે એ સોપાન દ્વારા, એ સાધન દ્વારા માનવતાના સિંહાસન પર આરૂઢ થવાનું છે. માનવતાના સિંહાસન પર ચડવાનાં ચાર સોપાન છે. શૂરતા, પંડિતાઈ, વક્તાપણું અને દાતાપણું ! આ ચાર નામ સાંભળી તમે મલકાઈ ન જતા. મનમાં એમ ન માનતા કે બે-ચારને મારી શકું છું, માટે હું શુરો છું, થોડું ભણ્યો છું, એટલે પંડિત છું, બોલતાં આવડે છે, માટે વક્તા છું અને થોડું દાન દઉં છું એટલે દાતા છું. અને મહારાજે કહેલાં ચારે સોપાન હું ચઢી ગયો છું. એટલે માનવતાના મહાસિંહાનને માટે યોગ્ય છે. न रणे विजयाच्छूरोऽध्ययनान्न च पण्डित:, न वक्ता वाक्पटुत्वेन, न दाता चार्थदानतः । इन्द्रियाणां जये शूर; धर्मं चरति पण्डितः; सत्यवादी भवेद् वक्ता, दाता भूतहिते रतः ।। રણમાં જીતી આવે એ શૂરો નહિ, ભણવા માત્રથી એ પંડિત નહિ, ભાષણ કરવામાં કુશળ હોય એટલા માત્રથી વક્તા નહિ અને જે માત્ર દાન જ દઈ જાય એટલા માત્રથી દાતા નહિ પણ જે ઇન્દ્રિયોને જીતે તે શૂરવીર; જે ધર્મને આચરે તે પંડિત; જે સત્યથી પવિત્ર બનેલી વાણીને ઉચ્ચારે તે વક્તા અને પ્રાણીઓના હિતમાં આસક્ત હોય – અભયદાન આપતો હોય – તે દાતા; આ ચાર ગુણોમાંથી કયા ગુણમાં આપણે પ્રગતિ કરી છે, તેનો અહીં વિચાર કરવાનો છે. TVTi Tયે શૂર: | હવે તો જાગો ! - ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy