SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, પતન હોય. ઉત્થાન તો માનવતાનું હોય; તો પછી એ માનવતાનું મૂલ્યાંકન કરતાં તો આપણને આવડવું જોઈએ ને ? એનું મૂલ્યાંકન કરતાં ન આવડે તો એ માનવભવનો ફેરો નિષ્ફળ જાય. આ ભવનો ફેરો નિષ્ફળ ન જાય અને સફળ થાય એ માટે માનવભવની નિસરણીનાં સોપાન ચઢવાની જરૂર છે. માનવતાનું એક પણ સોપાન જે માનવી ચઢ્યો નથી, એવો માનવી બાહ્ય દૃષ્ટિએ માણસ દેખાવા છતાં અંતરમાં તો પશુતાનું પ્રદર્શન જ ભરીને બેઠો હોય છે. પશુતાનું પ્રદર્શન પોતાના જીવનમાં ન ભરાઈ જાય એ માટે માણસે સતત જાગૃતિપૂર્વક પોતાના જીવનનું અને કર્તવ્યોનું અવલોકન કરવું જોઈએ. માણસે માણસાઈના ગુણો વડે આ દુનિયાને માનવતાથી ભરેલી બનાવવાની છે. દૈત્યોની દુનિયા બનાવવાની નથી. માનવ જ્યાં વસતો હોય ત્યાં તો હવામાં પણ ફૂલની જેમ માનવતાની સુવાસ હોય; પણ આજે આપણા કમભાગ્યે જગતમાં માનવતાના અંશો ઓછા થઈ રહ્યા છે. ભગવાન મહાવીરની અહિંસાથી ભરેલા જગતના ચિત્ર સાથે આજના વિજ્ઞાનથી ઘાતક બનેલા જગતના ચિત્રને સરખાવી જોજો ! માણસાઈના દીવા જો બળતા હશે તો આ ચિત્ર જોતાં જ હૃદય ધ્રૂજી ઊઠશે. જગતનું ચિત્ર આજના જગતનું દૃશ્ય કેટલું બિહામણું છે ? કેટલાક શ્રીમંતો ઐહિક સુખમાં જ મગ્ન બની, જીવનના ઉદાત્ત તત્ત્વને ભૂલી બેઠા છે. સત્તાધીશો સત્તાના ઘેનમાં મૂર્જીિત થઈ ઉદ્ઘાટન ક્રિયામાંથી ઊંચા આવતા નથી. કેટલાક ધર્મગુરુઓ પોતાના માટે મઠ-મંદિર બનાવવાની ધૂનમાં જ્યાં ત્યાં ભમી રહ્યા છે. મધ્યમવર્ગ જીવનનિર્વાહની ચક્કીમાં પિસાઈ રહ્યો છે. વિજ્ઞાનનાં બિહામણાં સાધનો લાખ્ખો માનવીઓને મૃત્યુના મોંમાં ધકેલી રહ્યાં છે; અશાંતિ ડાકણની જેમ આંખો કાઢી માનવીની સામે ઘૂરકી રહી છે આવા વિષમ સમયમાં માનવતાનાં તત્ત્વોને વિકસાવે એવા ઉપદેશકની, એ ઉપદેશને જીવનમાં વણનાર જિજ્ઞાસુ શ્રોતાઓની, કોઈ પણ સમય કરતાં આજે વધારેમાં વધારે જરૂર છે જો કે આજકાલ વ્યાખ્યાનો ચારે બાજુ થાય છે. પ્રવચન સપ્તાહ ગોઠવાય છે. લોકો હજારોના પ્રમાણમાં સાંભળે પણ છે. ઘણી વાર તો સાંભળનાર અને સંભળાવનારનો હેતુ દિલને ડોલાવવાનો, મનને બહેકાવવાનો, જગતમાં ખ્યાતિ મેળવવાનો અને વાણીના જાદુથી માણસોને મૂર્છિત કરવાનો હોય છે, એમ આજના પ્રવાહ પરથી તમને નથી લાગતું ? Jain Education International ૧૨૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy