SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લાગત કે દાનવ ? એ દૃષ્ટિએ તો હૈયામાં વિચારો જોવાની બારી ન કરીને કુદરતે માનવજાતની લાજ રાખી છે ને ? માણસ કેવો ક્રૂર બન્યો છે, તેનો એક દાખલો તમને આપું. થોડા દિવસ પર હું એક ભાઈને બંગલે આહાર લેવા ગયો હતો. એના બંગલાના દીવાનખાનાની દીવાલ પર હરણ અને રોઝનાં શિંગડાં શોભા માટે ટાંગ્યાં હતાં. આ જોઈ અને થયું : ‘માણસ કેવો ક્રૂર બન્યો છે ! પોતાના ઘરને શણગારવા માટે હરણ અને રોઝ જેવાં નિર્દોષ પ્રાણીઓને મારીને એના શિંગડાંથી ગૃહશોભાને વધારે છે અને પોતાની જાતને કલારસિક કહેવડાવે છે ! માણસ વિવેકશક્તિ ખોઈ, સ્વાર્થી બની, ઇન્દ્રિયોના પ્રવાહમાં તણાઈ અને આત્માની અનંત આનંદમય શક્તિ પર પાણી ફેરવ્યું છે. આત્માના સામર્થ્યને હણનાર વાસના છે. વાસનાનાં વસ્ત્રોએ આત્માનાં પ્રકાશને ઢાંક્યો છે. આ જ કારણે વાસનાના સામ્રાજ્યમાં આત્માને ઘણા પિછાનતા પણ નથી, પિછાનતા હોય તો પણ એ માટે સચિત્ત નથી. આત્માને નીરખે, એના સામર્થ્યને પારખે, તો એને સમૃદ્ધિથી છલકાતા રાજાધિરાજનો વૈભવ પણ તુચ્છ લાગે. એ શ્વાનની જેમ સત્તાધીશોની અને શ્રીમંતોની ખોટી ખુશામત ન કરે. તમને ખબર હશે કે બર્નાર્ડ શોએ ભગવાન મહાવીરના કલ્યાણક વખતે શેક્સપિયરનું મહાવાક્ય ઉચ્ચારી કહ્યું હતું : Give me that man who is not passion's slave and I will wear him in my heart's core. [મને એવો માણસ આપો કે જેણે ઇન્દ્રિયોને જીતી હોય, જે વાસનાનોવિષયોનો ગુલામ ન હોય, તેને હું મારા હૈયામાં ઊંડામાં ઊંડા ખૂણામાં પધરાવીશ.] બર્નાર્ડ શૉનું આ વાક્ય કેટલું ભવ્ય છે ! એ કહે છે કે મારા હૈયાના દીવાનખાનામાં શહેનશાહની છબી નહિ ટાંગું, પણ ઇન્દ્રિયોને જીતનારની છબી ટાંગીશ. વાહ ! કેવી માંગણી ! હું તમને પૂછું : તમે તમારા દિલના દીવાનખાનામાં કોની છબી ટાંગી છે ? રામની કે રમાની ? ધર્મની કે ધનની ? વાત્સલ્યની કે વાસનાની ? જવા દો. એ તમે નહિ કહો તોય ચાલશે. પણ એ વાત ચોક્કસ છે કે દિલનું દીવાનખાનું છબી વિના ખાલી તો કદી નહિ જ રહે. તમે વિકાસની છબી નહિ ટાંગો તો વિનાશની છબી એની મેળે ટિંગાઈ જશે. વિનાશની છબી પસંદ ન હોય તો વિકાસની છબી લાવો અને વિકાસની છબી લાવવા માટે વાસના પર વિજય મેળવો ! Jain Education International હવે તો જાગો ! * ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy