SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ એકતા છે. એકતામાં ભેદ ન હોય, ભિન્નપણું ન હોય. હવે દૂધ ચૂલા પર ચઢે ત્યારે દૂધ ગરમ થતું જાય છે, તેમ પાણી બળતું જાય; કારણ કે પાણી માને છે કે એણે મને રંગ આપ્યો તો મારે એની ખાતર બળવું જોઈએ. અને પાણી બળવા લાગે છે – બળી જાય છે; ત્યારે દૂધ વિચારે છે; મારે માટે પાણીએ પ્રાણ આપ્યા તો મારે એની પાછળ બળી મરવું જોઈએ અને પછી એ ઊભરો થઈ અગ્નિમાં ઝંપલાવે છે; મિત્ર પાછળ બળી મરવા તૈયાર થાય છે. ત્યારે માણસ શું કરે છે ? દૂધમાં પાણી રેડે છે. મિત્રને પામતાં દૂધનો ઊભરો શાંત બની જાય છે – ઊભરો બેસી જાય છે અને પછી માણસો તરત જ દૂધને ચૂલા ઉપરથી ઉતારી લે છે. આ જડની મૈત્રી ! જડ જેવી વસ્તુ પણ મૈત્રીભાવ કેળવ્યા પછી સર્વસ્વ અર્પણ કરવા તત્પર બને છે, તો આપણે તો ચેતન કહેવાઈએ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણામાં આવો મૈત્રીભાવ આવ્યો ? કદી આવી ત્યાગની ભાવના જન્મી ? માટે જ ચિન્તકો કહે છે કે, ધર્મનું પહેલું પગથિયું મૈત્રી છે. આ મૈત્રીનો ઉદય થયા પછી આપણે ગમે તેવું કાર્ય મહાન કાર્ય કરીશું તોય આપણામાં “અહમ્' નહિ આવે. એમ જ થશે કે, આ તો મારું કર્તવ્ય છે, અને માનવ તરીકે હું મારાં કર્તવ્યો કરું છું. આવી કર્તવ્યભાવનાને જગાડવા માટે, પ્રભાતે આત્મચિન્તન ને જીવનચિન્તન કરવું જોઈએ અને કાચની આરસીમાં મુખડાને જોવા કરતાં મહાપુરુષોના ચારિત્ર્યરૂપી આરસીમાં આત્માનું સૌન્દર્ય અવલોકવું; એ જ કલ્યાણનો માર્ગ છે. ૧૨૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy