SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્ન કરે, પણ પોતે બીજાને પાપી બનાવવાનું નિમિત્ત તો ન જ બને. અધર્મના માર્ગે જતા કોઈ પણ પ્રાણીને શક્ય હોય ત્યાં સુધી એ અટકાવે, માર્ગ 'ભૂલેલાને માર્ગ ચીંધે, પણ માર્ગ ચીંધવા જાય એને અવળે માર્ગે જનારો કહે: તને કોણે ડાહ્યો કર્યો છે ? તું તારું કામ કરને, અમે અમારું ફોડી લઈશું. તારે અમારામાં પડવાની જરૂર નથી. તારી સલાહ અમારે નથી જોઈતી.” તોય મધ્યસ્થ ભાવવાળો એના પર ક્રોધ ન કરે. ડૂબતાને તારવા પ્રયત્ન કરે પણ સામાં ડૂબતો માણસ ન તરે તો એને ઊંડા પાણીમાં ધક્કો તો ન જ મારે જે મનુષ્ય આ ચાર ભાવનાપૂર્વક જીવનની ક્રિયા કરતો હોય, એનામાં સ્વાર્થબુદ્ધિ કે પરવંચના કેમ હોઈ શકે ? એ તો એમ જ માનતો હોય કે હું આ દુનિયામાં આવ્યો છું માનવતાની સુવાસ ફેલાવવા. તો પછી મારાથી તો જરા પણ બૂરું કેમ થાય ? જગતના ભલામાં જ મારું ભલું છે. જગતમાં અશાંતિ હોય તો હું શાંતિથી કઈ રીતે જીવી શકું ? હું જેમ સુખ, શાંતિ અને આબાદી ઇચ્છું છું, તેમ બીજાને પણ એની જ તૃષ્ણા છે, તો મારું અત્યારે કર્તવ્ય એ છે કે – બીજાને શાંતિ આપવી અને બીજાને અશાંતિ ન થાય એ રીતે મારે જીવવું. જગતની અશાંતિમાં મારો ફાળો ન હોવો જોઈએ. જગત દુઃખી હોય ત્યારે હું એશ-આરામમાં કેમ જીવી શકે ? માનવજાત સંકટમાં સપડાયેલી હોય ત્યારે હું છુપાઈને મારી જાતનું રક્ષણ કઈ રીતે કરી શકું ? મારે તો ઝંપલાવવું જોઈએ, મારા ભાઈઓનું રક્ષણ કરવું જોઈએ. આ સમયે હું મારી જાતનું વિલોપન કરી, સૌના કલ્યાણ માટે ખપી જાઉં તો જ હું સાચો ધર્મી. પર-સેવા એ જ આત્મસેવા છે. અર્પણ એ જ મારું કર્તવ્ય છે. એથી જ મારું કલ્યાણ થવાનું છે જ્યાં મૈત્રી, પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થભાવ રમતા હોય ત્યાં માન, અપમાન, સ્તુતિ કે નિંદા કોઈની કંઈ જ પડી ન હોય. એ કોઈ દિવસ પ્રશંસાથી ફુલાય નહિ અને અપમાનથી મૂંઝાય નહિ. એને પોતાના અર્પણનો જ આત્મસંતોષ હોય. એને બીજાના મતની, બીજાની પ્રશંસાની જરૂર ન હોય. તે કોઈ દિવસ અટકે નહિ, થાકે નહિ. એ એમ જ માને કે હું મારા આત્મસંતોષ માટે કરું છું, આમાં હું શું મહાન કરી રહ્યો છું ? અરે, જડ પણ મૈત્રી કરે, જાત સમર્પણ કરે, તો પછી હું ચેતન આટલું પણ ન કરી દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે ? દૂધે પોતાનો ઉજ્વળ રંગ પાણીને આપ્યો અને પાણીએ પોતાની જાતને દૂધમાં વિલોપન કરી. બંને એક બન્યાં. દૂધ એ દૂધ ન રહ્યું ને પાણી એ પાણી ન રહ્યું. મૈત્રીભાવનો અર્થ જ હવે તો જાગો ! * ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy