SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્ના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે, ધર્મ એ તો ઝાડનાં મૂળિયાં જેવો છે. મૂળિયાં ફળની જેમ ખાવામાં કામ લાગતાં નથી. ઝાડમાં બીજાં અંગોની જેમ બહાર દેખાતાં નથી. તે ધૂળમાં દટાયેલાં-છુપાયેલાં હોય છે; છતાં એ ન હોય તો ટકી રહેવાની તાકાત ઝાડમાં નથી જ. વૃક્ષો ફળે છે, ખીલે છે, મીઠાં ફળો આપે છે. આ બધી બાહ્ય દેખાતી ક્રિયાઓનો આધાર તો મૂળિયાં છે. આ ધર્મ પશુઓને સાંપડ્યો નથી, એટલે એ કનિષ્ઠ છે, હીન છે. મનુષ્ય આ ધર્મને પામીને શ્રેષ્ઠ અને બડભાગી થયો છે. આ ધર્મથી માનવદેહ ગૌરવાન્વિત છે ! ધર્મની આવી પ્રશંસા સાંભળી સહન પ્રશ્ન થાય છે કે ત્યારે ધર્મ કહેવો કોને ? સૌ પોતપોતાના જન્મગત અને જાતિગત ક્રિયાકાંડોને ધર્મ કહે છે અને એ જ ધર્મના નામે લડે છે; અશાન્તિ ઊભી કરે છે અને માનવને માનવતાથી દૂર લઈ જાય છે. શું આને ધર્મ કહેવો ? આ પ્રશ્નનું સમાધાન જૈન દર્શને બહુ સારી રીતે કર્યું છે, ધર્મનું લક્ષણ બાંધીને માનવજાતને એક સુંદર સત્ય પીરસ્યું છે, અને ધર્મના રહસ્યને થોડા જ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થ-ભાવ એ ધર્મનાં ચાર લક્ષણ છે. આ ભાવનાઓથી યુક્ત જે ક્રિયાઓ થાય તે ધર્મ. ધર્મનું પહેલું લક્ષણ છે મૈત્રીભાવ. ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.' જે મનુષ્યના હૃદયમાં ધર્મના અંકુર ફૂટ્યા હોય, તેને આખું જગત મિત્રોથી ભરેલું લાગે, તેને આખું વિશ્વ પ્રેમમય લાગે. જેના હૈયામાં પ્રેમ હોય, મૈત્રી હોય, તેનું હૈયું શું બોલતું હોય ? હું ભલે દુ:ખી થયો, થાઉં; પણ બીજાને આવો વખત ન આવો. મારા સર્વસ્વના ભોગે પણ બીજા આત્માઓ તૃપ્ત થાઓ, સર્વ પ્રાણીઓ બંધનથી મુક્ત બનો. સૌ દોષહીન બનો. સૌ સ્વતંત્ર બનો. પરાધીન કોઈ ન રહો. આ મૈત્રીભાવના પછી ધર્મના બીજા લક્ષણમાં પ્રમોદભાવના આવે છે. ‘ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.' આ ભાવનાનો જન્મ મહાત્માઓના બહુમાનમાંથી થાય છે. આ પ્રમોદભાવનાના રંગથી રંગાયેલા હૈયાવાળો માણસ મહાપુરુષોને જોઈ આનંદ પામે, જગતને મંગળમય પંથે લઈ જતા સંતોને જોઈ, આ ભાવનાવાળું હૈયું નાચવા Jain Education International હવે તો જાગો ! ૧૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy