SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કે હાસ્ય ? હું અહીં શું કરવા આવ્યો હતો ને શું કરી રહ્યો છું ? હું ક્યાંથી આવ્યો હતો ને ક્યાં જવાનો છું ? મારું સ્વરૂપ કેવું છે ને હું આજે કેવું માનું છું ? આવા પ્રશ્નો ઊંડાણમાંથી જાગે તો જ માણસને પોતાની સ્થિતિનું ભાન થાય કે હું મનુષ્ય છું. મનુષ્યત્વને શોભે એવું જીવન મારે જીવવાનું છે અને આ શરીર દ્વારા જ મારે મુક્તિ મેળવવાની છે. મને સુંદર માનવદેહ મળેલ છે, તા બુદ્ધિ મળી છે, અન્યની વેદના સમજવા યોગ્ય કોમળ હૃદય મળ્યું છે, આવી સુંદર વસ્તુઓને હું કેમ વેડફી શકું ? પશુ જેવું જીવન જીવવા કાંઈ આ મહામૂલી જિંદગી નથી મળી. આત્માને નિર્મળ કરવાનો, જીવનને સુગંધથી ભરી દેવાનો શુભ અવસર સાંપડ્યો છે. કેટકેટલા ત્યાગી પુરુષોએ આ માનવજીવનની ગૌરવગાથાઓ ગાઈ છે, તે શા માટે ? ત્યાગીઓએ આ દેહમાં શું વિશેષતા નિહાળી ? આ દેહમાં એમને શું ભવ્યતા ભાસી ? શા માટે પશુઓને અને મનુષ્યોને એક જ કક્ષાએ ન મૂક્યાં ? શું બંનેમાં જીવન નથી ? છે જ તેમ જ બંનેને આહાર નિદ્રાભય ને કામની સમાન લાગણી નથી ? તે પણ છે જ. તો પછી બંને વચ્ચે ભેદ શા માટે ? તો પછી માનવીને ઉચ્ચકક્ષાએ મૂક્યો અને પશુને નીચી કક્ષાએ શા માટે મૂક્યાં ? જ્ઞાનીઓને શું આ માનવદેહનો મોહ હતો ? ના, તેઓને આ દેહની કિંમત તો કંઈ જ નથી. પણ કિંમત છે એક ધર્મની; અને તે ધર્મ આ માનવદેહ દ્વારા જ શક્ય છે. એટલે આત્માને અજવાળનાર ધર્મને લીધે આ દેહની કિંમત પણ વધી અને માનવજીવનની ગૌરવગાથાઓ ગવાણી. ધર્મ માનવજીવનને તેજસ્વી બનાવે છે. ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફૂંકે છે. ધર્મ માણસને ઊર્ધ્વગામી બનાવે છે, અને એની દેવત્વના સિંહાસન પર પ્રતિષ્ઠા કરે છે. ધર્મવિહોણું જીવન એ તો આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હોય નૂર કે ન હોય પ્રકાશ; ન હોય પ્રાણ કે ન હોય પવિત્રતા, જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેડનાર ધર્મ જ છે. ત્યારે આપણને વિચાર આવશે કે ધર્મ જો જીવનમાં આવો વ્યાપક છે, તો તે દેખાતો કેમ નથી ? ભૂખ લાગે ત્યારે ધર્મ ખાવા કામ લાગતો નથી, તરસ લાગી હોય ત્યારે ધર્મ પીવા કામ લાગતો નથી, ટાઢ વાય ત્યારે ધર્મ ઓઢવા કામ લાગતો નથી, દેવું ચૂકવવું હોય તો તે દેવા પેટે આપવા કામ લાગતો નથી અને વ્યવહારમાં કોઈ વસ્તુના વિનિમયમાં પણ ધર્મ ઉપયોગમાં આવતો નથી; તો પછી ધર્મનું મહત્ત્વ શું ? ૧૨૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy