SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ રાખ થઈને ઊડી જવાનું છે, એના અવલોકનમાં કલાકોના કલાકો નીકળી જાય છે; અને જે આત્મા શાશ્વત છે, કરેલા કર્મનો ભોક્તા છે, એના માટે આપણને જરા વિચાર સરખોય ન આવે; આ કેવું આશ્ચર્ય ? અનાજ કેવું છે એનો વિચાર આવતો નથી અને ફોતરાં માટે માથાકૂટ થઈ રહી છે. શરીર ઉપર લાગેલા ડાઘને જુએ છે, પણ આત્મા પર લાગેલા | ડાઘનો વિચાર કેમ આવતો નથી ? શરીરનો ડાઘ તો પાણી ને સાબુથી ધોઈ શકાશે, પણ આત્મા પર લાગેલા ડાઘ તો આપણા લોહીના આંસુથી પણ નહિ ધોવાય ! મોં ઉપર લાગેલા ડાઘને બતાવનાર આરસી તો અનેક ઠેકાણે મળશે, પણ આત્મા પર લાગેલા ડાઘને ચીંધનાર – બતાવનાર કોણ ? પોતાના મુખની કદરૂપતા માટે માણસ શરમાય છે, એ કદરૂપતાને ટાળવા અનેક પ્રયત્નો કરે છે, પણ આત્માની કદરૂપતા પળે પળ વધી રહી છે, અને આ કદરૂપા મુખને લઈ હું વિભુના પવિત્ર ધામમાં કઈ રીતે જઈશ, એના માટે ચિત્તા કરનારા કેટલા છે ? જ્યાં અનન્ના નિર્મળ આત્માઓ બિરાજે છે, એવા સિદ્ધોના પવિત્ર ધામમાં જવા માટે આ આત્મા લાયક છે ખરો ? આરસીમાં જે મુખ ધારી ધારીને જોવાય છે, એ સુખ ઉપર વિશ્વાસઘાત, અસત્ય, અસંયમ, અનીતિના કેટલા અપવિત્ર ડાઘ લાગેલા છે ? છતાં માનવી ગર્વ કરીને ફરે છે ? પોતાના સ્થળ સૌંદર્યને આરસીમાં જોઈ મલકાય છે ! અંતરનું રૂપ, આત્માનું સૌંદર્ય અને પવિત્ર જીવનનું લાવણ્ય ભુલાયું, એનું જ આ દુઃખદ પરિણામ છે. એટલા માટે જ જીવનદ્રષ્ટાઓ કહે છે : “ભાઈ ! તારે આરસીમાં મોં જોવું હોય તો જો; પણ સાથે સાથે આત્માનું અવલોકન પણ કરતો જા. આત્માનું નિરીક્ષણ વધતાં આ સ્થૂળ રૂપનું આકર્ષણ ઘટશે, અને આ સ્થળનું વાતાવરણ ઘટતાં આત્માનું સૌંદર્ય વિકસશે. ‘प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चचरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ? ।। રોજ પ્રભાતે માણસે પોતાના ચારિત્ર્યનું, પોતાના વહેતા જીવનનું અવલોકન કરવું જોઈએ. જોવું જોઈએ કે મારું જીવન પશુ જેવું છે કે પુરુષ જેવું ? પુરુષોનું જીવન કેવું નિર્મળ છે ને મારું જીવન કેવું મલિન છે ? આ સંસારની ફૂલવાડીમાં મારું જીવન ગુલાબના ફૂલ જેવું સુવાસિત છે, કે લસણ જેવું દુર્ગધથી ભરેલું ? આ જગતમાં જન્મીને મેં આશીર્વાદ મેળવ્યા છે કે શાપ ? આ દુનિયામાંથી વિદાય લેતી વખતે મારા મુખ ઉપર આંસુ હશે હવે તો જાગો ! = ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy