SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કરતો ને ? તારા હાથે આવું ક્રૂર પાપ થાય એ હું ઇચ્છતો નથી. હું ઇચ્છું છું તારા અમર વિજયને ! કારણ કે તે જૈન છે તારી પાસે બે પાંખો છે : અહિંસા અને સત્ય ! આ બે પાંખો કપાઈ જતાં તું જૈન મટી “જન” બની જઈશ ! તારી શોભા આ બે દિવ્ય પાંખોમાં જ છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી છે ! તને ગગનવિહારી બનાવનારી છે ! આ અહિસા ને સત્યની પાંખોથી તું હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિનો સંદેશ પાઠવી શકીશ, શાન્તિનો દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તો સમજજે કે તું પંગુ છે, લંગડો છે. તારી આ બે પ્રિય પાંખો પ્રમાદથી રખે કપાઈ ન જાય, માટે જાગૃત બન ! ઝોકાં ખાવાં છોડી દે ! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુક્તિ નહિ મળે ! મુક્તિ મેળવનાર શ્રી મહાવીરને તું યાદ કર. એણે કેવાં મહાન શુભ કાર્યો કર્યા હતાં ! જો જેણે વૈર્યપૂર્વક નર-પિશાચનો સામનો કરી, ભયભીતને નિર્ભય બનાવી અને માનવમાં રહેલી અખૂટ શક્તિનો પરચો બતાવી મહાવીરપદ પ્રાપ્ત કર્યું હતું. જેણે સાંવત્સરિક દાન દઈ, અઢળક સંપત્તિ વર્ષાવી અને દીન, હીન, અનાથ ને ગરીબોને યથાયોગ્ય દાન વડે સુખી બનાવી – દાનવીરપદ વિભૂષિત કર્યું હતું. જેણે વૈભવોથી છલકાતાં રાજમંદિરોને છોડી, પોતાના પ્યારા પ્રિયજનોથી વિખૂટા પડી, અને મહામોહનો પરાજય કરી ત્યાગવીરપદ સુશોભિત કર્યું હતું. જેણે ગિરિકન્દરાઓમાં ધ્યાનમગ્ન રહી, વાસનાઓનો નાશ કરી અને ઇંદ્રિયો પર વિજય મેળવી – શૂરવીરપદ શોભાવ્યું હતું. જેણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ અને અકિંચનત્વને પોતાના જીવનમાં વણી, એનો જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી – ધર્મવીરપદ અલંકત કર્યું હતું. એ જ નરવીરનો તે પુત્ર ! જેના નામથી પ્રેરણાનો દીપક પ્રગટે, એ મહાવીરનો પુત્ર બની, તું આમ નિર્માલ્ય જીવન જીવે, તને શોભે ખરું ! ઊઠ ! પ્રાણવાન થા ! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફૂંક ! તારા ધ્વનિથી દિશાઓ કંપી જાય એવી જયઘોષણા કર ! પાપના પડદા ચિરાઈ જાય એવું તેજ તારી આંખોમાં લાવ ! હિમ્મત ને ઉત્સાહથી આગે કદમ ભર ! તારી અદમ્ય શક્તિઓનો પરચો જગતને હવે તો જાગો ! * ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy