SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કોઈના સદ્ગુણ ગાવા કે પ્રશંસા કરવી એની તો ટેવ જ નથી. યાદ રાખજો કે નિંદા એ બહુ જ બૂરી ચીજ છે. નિંદા એ આજનો એક જાતનો માનસિક ચેપી રોગ છે. માણસ જેમ નિંદા કરતો જાય તેમ એ રોગ અભિવૃદ્ધિ પામતો જાય. ખરજવું થયું હોય છે તેને વારંવાર ચળ આવે છે. જે માણસ જેમ જેમ ખણતો જાય છે તેમ તેમ ચળ ઘટવાને બદલે વધતી જાય છે; તેવી જ રીતે નિંદાને માટે પણ કહી શકાય. ખૂજલીવાળો ઘણું ખણીને અંતે વિકૃત બને છે; તેમ નિંદક પણ પારકી નિંદા કરી પોતાના જીવનને વિકૃત બનાવે છે. ખૂજલી થઈ હોય ત્યારે નાના છોકરાઓને હાથે લૂગડાં બાંધો છો ને ? તેમ હવે નિંદકના મોઢે પણ કપડાના પાટા બાંધવાની જરૂર છે, કારણ કે નિંદકો પણ બાળકની જેમ અજ્ઞાન છે. નિંદકો નિંદા કરીને સુખ મેળવતા નથી, પણ સુખ ખોઈ રહ્યા છે માટે સુખના શોધકોએ વાચા આદિ ઇંદ્રિયો પર કાબૂ – વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. તમે જોઈ ગયા કે ઇંદ્રિયો પર સંયમ ને બાહ્ય વસ્તુઓનો ત્યાગ, આ બે વસ્તુઓ દ્વારા સુખનો સાક્ષાત્કાર થાય છે. એમાં પણ ત્યાગથી જે જીવનતૃપ્તિ થાય છે તે અલૌકિક છે. એ માટે પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન આપણને દૃષ્ટાંતરૂપ છે. તે જ રીતે શ્રી રામચંદ્રજીનો જીવનપ્રસંગ આદર્શરૂપ છે. આ પ્રસંગ ભવ્ય છતાં કરુણ છે ! ત્યાગનો આ પ્રસંગ સાંભળતાં આપણાં હૈયાં ભરાઈ જાય છે, ને નયન આંસુથી છલકાઈ જાય છે; પણ આમાંથી તો આપણે પ્રેરણા લેવાની છે. આ પ્રસંગ આપણને એ જ સૂચવે છે કે આશા-અભિલાષાને કચડીને પણ જે ત્યાગ કરે, તે ઉચ્ચ આદર્શના શિખરે પહોંચે છે. જો આશા કે અભિલાષા વિના જ સંપૂર્ણ ત્યાગ કરાય, તો તો પછી પૂછવું જ શું ? આ પ્રસંગ ગંભીર રીતે વિચારો. સુખ રાજ્યમાં હતું કે વનમાં ? ભોગમાં હતું કે ત્યાગમાં ? સિંહાસનમાં હતું કે હૈયામાં ? હૈયામાં આનંદ ન હોત તો રામનું તે જ ક્ષણે હૃદય બંધ પડી જાત, પણ એવું કાંઈ ન થયું. પણ ઊલટો સાપ કાંચળી ઉતારીને ચાલ્યો જાય તેમ રાજ્યમોહ છોડી એ વનમાં ચાલતા થયા, કારણ કે એ જાણતા હતા કે ત્યાગ જો હૈયામાં હશે તો જીવન સદા સુખથી છલોછલ ભરેલું જ રહેશે. માટે કહું છું કે ઇંદ્રિયો પર કાબુ મેળવવાથી આત્મા શાન્ત બને છે, ને ત્યાગ કરવાથી આત્મા નિર્લેપ બને છે – આ બે અજોડ સાધનોના પ્રતાપે આત્મા, આત્મામાં જ સુખનો ખજાનો જુએ છે. હવે તો જાગો ! - ૧૧૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy