SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ પૈસા કે વસ્તુમાં નહીં, પણ આપણા હૃદયમાં હોવું જોઈએ. આપણા હૃદયમાં સુખ હશે, તો જગતની દરેક વસ્તુ આનંદના બજાર જેવી લાગશે. એટલે જ જીવનશોધકોએ કહ્યું કે આપણો આનંદ આપણા હૈયામાં પોઢેલો છે, આપણા હૈયામાં આનંદનું સરોવર ભરેલું પડ્યું છે ! પણ અન્ય મન એ જોઈ શકતું નથી, ને તરણું બની આખા વિશ્વમાં આનંદ-જળ પીવા દોડે છે, જેમ કસ્તુરી મૃગની પૂંટીમાં જ હોય છે, પણ એ જાણતું નથી, તેથી આખા વનમાં ભટકે છે. જે દિશાથી પવન આવે છે એ દિશા તરફ દોડે છે, અને માને છે કે એ દિશામાં કસ્તુરી હશે, પણ ખરી રીતે તે એની પોતાની પાસે જ છે. આજે આખા વિશ્વમાં પણ આમ જ બની રહ્યું છે. જગત, બહાર સુખ શોધે છે, પણ અંતરમાં તો કદી તલાશ કરતું જ નથી. સાચું સુખ મેળવવું હોય તો બાહ્ય પદાર્થોમાંથી મન વાળવું જોઈએ, ઇન્દ્રિયો પર વિજય મેળવવો જોઈએ, જીવનમંથન કરવું જોઈએ. ચિત્ત સ્થિર બનાવવું જોઈએ અને મનના વધતા વેગને અટકાવવા આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ રીતે સાધના કરીશું તો જ આપણે સાચું સુખ મેળવી શકીશું. આજનો ચેપી રોગ આત્મિક સુખને પૂર્ણ રીતે નહીં સમજનાર જાપાનીસોએ પણ ઇંદ્રિયજય માટે અનેક પ્રયોગો કર્યા છે. જાપાનના ટોકિયો શહેરના ત્રણ દરવાજા પર ત્રણ મહાકાય વાંદરાંનાં પૂતળાં મૂક્યાં છે. એ ત્રણે પૂતળાં ઇંદ્રિયજયનો બોધપાઠ આપે છે. એક વાંદરાએ આંખ બંધ કરી છે. આંખ બંધ કરીને એ એમ કહેવા માંગે છે, કે સારી વસ્તુઓ જોજો, અને ખરાબ વસ્તુઓ જોવાનો પ્રસંગ આવે તો મારી જેમ આંખ બંધ કરજો. બીજા વાંદરાએ પોતાના કાન બંધ કર્યા છે, એ એમ ચેતવે છે કે સારી વાત સાંભળવાનો પ્રસંગ આવે તો સાંભળજો, અને ખરાબ વાત સાંભળવાની વેળા આવે તો મારી જેમ કાન બંધ કરજો. ત્રીજા વાંદરાએ પોતાનું મોઢું બંધ કર્યું છે. એ એમ સૂચવે છે કે સારું બોલવું, અને ખરાબ બોલવાનો પ્રસંગ આવે કે નિંદા કરવાની વેળા આવે તો મારી જેમ મોં બંધ કરી મૌન સેવવું. બાહ્ય રીતે આ ત્રણે ઇંદ્રિયો પર વિજય મેળવનાર પણ સુખ મેળવે છે. તો સંપૂર્ણ રીતે ઇંદ્રિયો પર કાબૂ આવી જાય તો સાચું સુખ મળે એમાં આશ્ચર્ય પણ શું છે ? પણ આજે લોકોને જિદ્વા-ઇંદ્રિય પર કાબૂ નથી. નિંદા કરવાની ટેવ પડી ગઈ છે, આજે એકનું વાટે, આવતી કાલે બીજાનું વાટે, પરમ દિવસે ત્રીજાનું વાટે. આમ વાટ, વાટ, ને વાટ બસ વાટવાની જ ટેવ પડી છે ! ૧૧૨ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy