SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર જન્મે એટલે આનંદજન્ય હાસ્ય જ હોય ને ? પણ હવે તો આપણે સમજણા થયા, વિચારક થયા, વેપારી થયા, પ્રૌઢ બુદ્ધિવાળા થયા. હવે દુનિયા એ રીતે છોડવી કે આપણા મોં પર સદ્ધર્તવ્યોનું ને જિંદગી સફળ કર્યાનું સ્મિત હોય, આનંદ હોય, સંતોષની રેખા મોં પર ઊપસતી હોય, સંતોષનો પ્રકાશ મોં પર ચળકાટ મારતો હોય અને આપણાં સકર્તવ્યો અને સગુણોને યાદ કરી લોકો અશ્રુનો પ્રવાહ વહાવતા હોય. આ રીતે મરણ થાય તો જાણવું કે જિંદગી મેળવી તો કેળવી ! પણ તે સમયે હાય, હાય ! મારું શું થશે ? મારી મિલકતનું શું થશે ? મારા કુટુંબનું શું થશે ? એવા જો દેન્યતાભર્યા શબ્દો ને ઉદ્દગાર નીકળ્યા તો સમજવું કે જિંદગી મેળવી પણ કેળવી નહિ. અને કેળવ્યા વિનાની જિંદગી તો દીર્ઘ હોય તો પણ વધ્ય જ છે. તત્ત્વચિન્તક કહે છે : જેમ માણસ જૂનાં કપડાં છોડે ને નવાં કપડાં પહેરે છે, તેમ માનવ જીર્ણ શરીર છોડીને નૂતન શરીર ધારણ કરે છે. જેમ જૂનાં વસ્ત્રો છોડીને નવાં કપડાં પહેરતાં માણસને આનંદ આવે છે, તેમ જીર્ણ શરીર છોડતાં ને નવા શરીરને ધારણ કરતાં પણ આનંદ થવો જોઈએ, સાચા સુખનું લક્ષણ આ જ છે. જૂનું શરીર એટલે અનાદિનો આ સંસાર અને નૂતન શરીર એટલે આદિ અનંત મોક્ષ ! આવો અપૂર્વ મોક્ષ મેળવતાં જીવનના સાચા પ્રવાસીને તો આનંદ જ થાય, કારણ કે એનું ભવભ્રમણ ટળે છે, પણ લોકો આજે મરણથી ગભરાય છે, એનું કારણ એ છે કે એ જાણે છે કે જીવનમાં કાંઈ સાચી વસ્તુ મેળવી નથી, કાંઈ સદ્કર્તવ્ય કર્યું નથી, દાન દીધું નથી, શિયળ પાળ્યું નથી, તપ કર્યા નથી, ને ભાવના ભાવી નથી, એટલે અહીંથી મરીને બીજી ગતિમાં ગયા એટલે આ બધું ખલાસ ! નવું વસ્ત્ર તો નહીં મળે, પણ આ જૂનું વસ્ત્ર પણ નહીં રહે, અને નિરાધાર રીતે નરકમાં ને તિર્યંચમાં ભટકવું પડશે ને તાપમાં ઉઘાડા ટળટળવું પડશે. આ જ કારણે માણસો મરણથી ગભરાય છે. માણસ પાસે સત્તા, સિંહાસન કે ક્રોડ રૂપિયા હોય તો પણ એ આત્મિક વૈભવ વિના સુખી હોતો નથી. બહાર એ ભલે સુખી દેખાતો હોય પણ એના આંતરિક જીવનમાં અશાંતિનો દાવાનળ સળગતો હોય છે, ચિન્તાઓ એના પર ગીધડાંની જેમ ભમતી હોય છે, એ ફફડાટ એના હૈયાને કીડાની જેમ કોરી ખાતો હોય છે, માટે જ કહું છું કે આજની તમારી સુખની કલ્પના અવાસ્તવિકતામાંથી જન્મેલી છે. હવે તો જાગો ! * ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy