SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અતૃપ્ત માનસને લીધે માનવીને સાચું સુખ ન મળે, એ સહજ છે. પૈસો એ જ આદર્શ છે ને પૈસામાં જ સાચું સુખ છુપાયેલું છે, એવું માનસ ને સિદ્ધાંત ઘડાઈ જાય એટલે કહેવું જ પડે, કે તમારી સુખની કલ્પનાઓ ભ્રામક ને ખોટી છે, અવાસ્તવિક ને અસિદ્ધાન્તિક છે, એ કલ્પનાની ધરમૂળથી ક્રાન્તિ ક૨વાની જરૂર છે, એ વિના માનવજાત સુખની શોધમાં જિંદગી હારી બેસશે. જગતમાં સુખનાં સ્વપ્ન સેવનારા વિવિધ પ્રકારના મનુષ્યો વસે છે. કોઈને ખૂબ જ ધન મેળવવાની ઇચ્છા હોય છે; તો કોઈને પુત્ર મેળવવાની ઝંખના હોય છે, કોઈને પ્રિયજન મેળવવાનો તલસાટ હોય છે, કોઈને કીર્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય છે, તો કોઈને સત્તાનું સિંહાસન પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય છે. ઐહિક સુખની, આવી ક્ષણિક એષણાઓ હોય છે, તેમ સાથે સાથે અનેક પ્રકારની અર્થહીન ચિન્તાઓ પણ વસેલી હોય છે. વિદ્યાના ક્ષેત્રમાં હોય તો કોઈ બૅરિસ્ટર અગર કોઈ મોટી ડિગ્રી મેળવે તો બીજાને અદેખાઈ આવે છે, વેપારના ક્ષેત્રમાં હોય તો કોઈ ખૂબ પૈસાદાર તોય અગર વેપારમાં ફાવી જાય તો બીજાને ઈર્ષા થાય છે. રાજકારણમાં હોય તો કોઈ પ્રધાન થાય અગર ઊંચા હોદ્દા પર જાય તો બીજાને બળતરા થાય છે. ત્યાગવિહોણી સાધુ-સંસ્થામાં હોય તો કોઈ પૂજાય અગર લોકમાન્ય થાય ત્યારે અન્યને એ જોઈને અંગઅંગમાં અગન લાગે છે એમ માણસ જેમ વાસ્તવિક સુખ સમજી શકતો નથી, ને મેળવી શકતો નથી; તેમ અન્યનું બાહ્ય સુખ શાન્તિથી જોઈ પણ શકતો નથી. માનવીની દૃષ્ટિ આજે વિકૃત બની છે, એણે સુખને જોવા માટે પહેરેલાં ચશ્માં સાવ ઊંધા છે, એ ઊંધા ચશ્માને લીધે સુખને જોઈ શકતો નથી ને દુઃખનો વિચાર સરખો પણ કરી શકતો નથી. દાદરો ઊતરનાર જેમ નીચે જોઈને ઊતરે તો એ સુખેથી દાદર ઊતરી જાય છે, તેમ સંસારમાં સુખપૂર્વક જીવવું હોય તો આપણથી નીચી કક્ષાના ગરીબો કઈ રીતે જીવન જીવે છે તે જોવાની જરૂર છે. ઊંચે જોઈને દાદર ઊતરનાર જેમ ગબડ્યા વિના રહેતો નથી, તેમ પોતાનાથી સુખી કોણ છે એ જ જોયા કરનાર માણસ પણ સુખી બની શકતો નથી, તે દુઃખી થાય છે. જીવન પંથમાં ગબડી જાય છે, માટે સાચા સુખને શોધનાર માણસે દુઃખી જગત ઉપર પણ એક વા૨ નજ૨ નાખવાની જરૂર છે. જગત આજે દુ:ખથી ભરેલું છે. કેટલાય એવા મનુષ્યો છે કે જેઓ પેટનો ખાડો પૂરવા માટે દિવસભર કાળી મજૂરી કરે છે, છતાં એ મનુષ્યો પેટ પૂરતું ખાવાનું અન્ન પણ મેળવી શકતા નથી. શરીર ઢાંકવા માટે પૂરતાં Jain Education International - ૧૦૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy