SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડે છે, વિપત્તિ સહે છે, છતાં સાચું સુખ મેળવી શક્યો નથી. અતૃપ્ત ઇચ્છા સાચું સુખ મેળવવા માટે મન, વચન અને કાયા એ ત્રણ મહાન અને અદ્ભુત સાધનો છે. સુખનું સાધન જગતમાં ક્યાંય શોધવાની જરૂર નથી, એ તો આપણી પાસે જ છે. મન, વચન અને કાયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ દ્વારા અદ્ભુત સાચું સુખ પામી શકાય, ને એનો વિવેકવિહોણો દુરુપયોગ થાય તો આપણા જ હાથે દુ:ખના ડુંગરા ખડકાઈ જાય. આટલાં વર્ષોને અંતે પણ માણસ સુખ મેળવી શક્યો નથી. એનું કારણ એ જ છે કે સંપત્તિમાં અને વિપત્તિમાં મન, વચન ને કાયાના યોગનો સુમેળ રાખી શક્યો નથી. સુખમાં ઉન્મત્ત બન્યો ને દુ:ખમાં મૂંઝાઈ ગયો. આ દ્વિધાભરી વૃત્તિને લીધે જ માણસનું જીવન સુખવિહોણું ને અસમતોલ બન્યું છે. સુખ મેળવવા ઇચ્છતા પ્રાથમિક સાધકે સંપત્તિમાં ખૂબ ઉત્સાહમાં આવી ઘેલા ન બનવું, અને વિપત્તિમાં ગભરાઈને કર્તવ્યહીન કે વિવેકહીન ન બનવું, પણ તેનો અડગ ને અડોલ રહી સામનો કરવો. દુખ એ પણ ઉજ્જવળ જીવન-વસ્ત્રની એક કાળી કિનાર છે. જીવનનું એક પડખું છે, એમ માની જીવનમાં સમતોલપણું જાળવવું જોઈએ. જીવનમાં વિચારણાપૂર્વક સમતોલપણું જળવાય તો જ મનુષ્ય સુખી થઈ શકે. પણ કમભાગ્યે માણસની સુખની ઇચ્છા મૃગજળ જેવી છે. મૃગ જેમ ઉનાળાના દિવસોમાં ધગધગતા તાપમાં પાણી પીવા માટે વલખાં મારે છે, અને મૃગજળ જોઈ એને મેળવવા દોડે છે : છતાં પાણીનું એક બિન્દુ પણ મેળવી શકતું નથી, અને મરણને શરણ થાય છે : તેમ માણસ પણ જગતમાં ધનિક માણસનું માત્ર બાહ્ય સુખ જોઈ એમાં જ સાચા સુખની કલ્પના કરી, એ મેળવવા માટે જીવનભર દોટ મૂકે છે. છતાં પરિણામે નથી તો એ મેળવતો બાહ્ય સુખ કે નથી જાળવી શકતો પોતાનું મૂળસ્થાન. જીવનભર એ સુખ શોધવા ભમ્યા જ કરે છે. એક ઇચ્છા પૂર્ણ ન થાય ત્યાં તો બીજા સુખની ઇચ્છા જન્મી જાય છે. બીજી ઇચ્છા પૂર્ણ કરવા માણસ પ્રયત્ન કરે છે ને અર્ધવાટે જાય છે ત્યાં વળી કોઈ ત્રીજી જ કલ્પના આવે છે. આમ માણસ એ અપૂર્ણ સુખને પૂર્ણ કરવાની વ્યર્થ ઝંખનામાં જીવન વેડફી નાખે છે. ઘણાને, પાસે કાંઈ ન હોય ત્યારે લાખ મેળવવાની ઇચ્છા જાગે છે, લાખ મળે એટલે દશ લાખ મેળવવા પ્રયત્ન કરે છે, દસ લાખ મળે એટલે કેડ મેળવવા વલખાં મારે, ને બ્રેડ મળે એટલે દસ ક્રેડ મેળવવા ટળવળે – આમ ઇચ્છાઓની ઘટમાળ ચાલ્યા જ કરે, પણ ઇચ્છાઓનો અન્ન ન આવે. હવે તો જાગો ! * ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy