SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકત છે મિત્રો ! આ ગપ્પ નથી. કલ્પના નથી પણ હકીકત છે. ભગવાન મહાવીરે સંયમના દંડથી જગત આખામાં પરિવર્તન આણ્યું, અને મૌલિક જીવનની દૃષ્ટિ આપી ! પણ આમ કામ એમણે ક્યારે કર્યું ? કેવી રીતે કર્યું ? પહેલાં એમણે પોતાની જાતનો કચરો દૂર કર્યો, પછી મહોલ્લાનો, પછી ગામનો, પછી દેશનો અને પછી વિશ્વનો ! પણ આજે તો પોતાની જાતનો વિચાર કર્યા વિના આંતરરાષ્ટ્રીય દુનિયાનો કચરો કાઢવાની ધૂન સૌને લાગી છે. ફૅશનના નામે વિશ્વનો કચરો કાઢીને પોતાના દેશમાં ઘાલવો, દેશનો કચરો તાલુકામાં, તાલુકાનો કચરો ગામમાં, ગામનો કચરો મહોલ્લામાં અને મહોલ્લાનો કચરો પોતાના ઘરમાં, છેલ્લે પોતાના જીવનમાં. કહો કેવી ભવ્ય વ્યુહરચના ! ઘરનો કચરો દરિયામાં નાખવાને બદલે વિશ્વનો કચરો ઘરમાં નાખનારને બાહોશ માનવા કે બેહોશ ? શુભ શરૂઆત પોતાની જાતથી જ થવી જોઈએ. વાણી નહિ વર્તન જાતને સુધારવા માટે ઘણું સહન કરવું પડશે, અંતરમાં ડૂબકી મારવી પડશે, પોતાની સુંવાળી વૃત્તિઓને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે અને ઊંચામાં ઊંચાં પ્રલોભનો આવી પડે તો પણ એને ફગાવી દેવાં પડશે. માત્ર વાતો કરે કાંઈ નહિ વળે. બોલનાર તો મેં ઘણાય પ્રવચનકારોને જોયા છે, એવાઓને માટે આ વાત નથી. આ તો પ્રકાશને જીવનમાં ઉતારનાર સાધકની વાત છે. શ્રી સયાજીરાવ મહારાજની અધ્યક્ષતામાં એક ભાઈ, એક જાહેર સભામાં “અહિંસા” એ વિષય પર દોઢ કલાક સુધી ઘણું સારું બોલ્યા. એ વક્તવ્ય સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ. સભા એના પ્રવચનથી પ્રભાવિત થઈ ગઈ. ઉનાળાનો દિવસ હતો, વક્તાના શરીરે પસીનો પસીનો થઈ ગયો હતો. પસીનો લૂછવા માટે એણે ખીસામાંથી રૂમાલ કાઢયો. ત્યાં રૂમાલ સાથે ખીસામાં રહેલું ઈંડું પણ તરત ઊછળી બહાર આવ્યું, અને પડ્યું વ્યાસપીઠ પર ! શ્રી સયાજીરાવ ગાયકવાડ વિચક્ષણ હતા. એમને ઉપસંહાર કરવાનો હતો. એમણે કહ્યું, “આ ભાઈ અહિંસા પર સારું બોલ્યા છે. બોલવાની છટા અને શક્તિ સારાં છે પણ હિંદુસ્તાનની બરબાદી આવા વક્તાઓએ કરી છે, જે બોલે છે તેની વિરોધી દિશામાં જ એમનું જીવન હોય છે !” આ સાંભળી વક્તા ને સભા સૌ ઠરી ગયાં. મતલબ કે આવા વક્તાઓ અસર ન ઉપજાવી શકે, સ્થાયી સુવાન ન ફેલાવી શકે. જીવનમાં આચાર જોઈએ, સંયમ જોઈએ. ઊંચા ઊંચા મંચ પર હજારોની ૧૦૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy