SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડૂતે પગે પડી નમ્રતાથી કહ્યું : “મહારાજ ! આપે તો તે જ દિવસે લઈ જવાનું કહ્યું હતું. પણ મેં મૂર્ખાએ નહોતું માન્યું. પછી વિચાર કરતાં આપની વાત ખરી લાગી. ખેતર મેં વેચાતું લીધું છે માટે માલિક હું છું. અને તેથી હું લઈ ગયો છું.'' રાજાની તમામ દલીલને તોડી એ ચાલતો થયો. અન્તે ધર્મરાજાને વિચાર કરતાં સમજાયું કે મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ એનું જ આ પરિણામ ! પ્રજાનો માલ હડપ કરવાની મારા દિલમાં ઇચ્છા થઈ, એટલે આનો વિચાર પણ પલટાયો આની ભાવના પણ બદલાણી કેમકે ભાવનાનો પડઘો પડ્યા વિના રહેતો નથી. દિલ એ તો અરીસો છે. આત્મા પરમાત્મા ક્યારે બને ? આજે તો આ દૃષ્ટાંતનું ચિત્ર પ્રત્યક્ષ છે, પ્રાયઃ પ્રધાનથી માંડીને સામાન્ય પ્રજાજન, તમામ, એકબીજાને ઉતારી પાડવાની, છેતરવાની, ઠગવાની, પોતાની જાળમાં ફસાવવાની અને શીશામાં ઉતારવાની રમત રમી રહ્યા છે. આ સ્થિતિમાં પુરુષોમાં સાચું પુરુષત્વ અને સ્ત્રીઓમાં સાચું સ્ત્રીત્વ લાવવું હોય તો નૈતિક ભાવનાનો ઉદય માંગે છે. મનુષ્ય કે સ્ત્રીમાં સાચું પુરુષત્વ કે સાચું સ્ત્રીત્વ ત્યારે જ આવે છે કે જ્યારે ઉત્કટ ભાવનાનો તેઓનામાં ઉદય થાય છે કે, જેનામાં આ ભાવનાનો ઉદય ન થાય તેના માટે તો કવિએ કહ્યું છે : ‘મનુષ્ય પેજ મૃશ્વરન્તિ' મનુષ્યને જ્યારે મૃગની સાથે કવિએ સરખાવ્યા, ત્યારે મૃગલાંઓએ પણ વાંધો લીધો: અમે એવા નથી. પશુ વિફરે તો શું કરે ? એકાદ બેને જરા ઈજા કરે, પણ માનવી વિફરે તો ? માનવી તો યોજનાપૂર્વક, બુદ્ધિપૂર્વક સામાનું કાસળ કાઢે, દુનિયામાં કાંઈ બાકી ન રહેવા દે, ખેદાનમેદાન કરી નાખે. મનુષ્ય જો સંયમી હોય તો તે મહાન છે : ભાવિનો ફિરસ્તો છે, વિશ્વનો ઉદ્ધારક છે, પરમાત્માનું પ્રતીક છે. પણ આજની હવાએ આપણા ઘણાખરા દેશવાસીઓનાં હૈયાં પણ કાળમીંઢ પથ્થર જેવાં બનાવી મૂક્યાં છે. ન મળે પ્રેમ, ન મળે મમતા, ન મળે હમદર્દી, સામાનાં દુ:ખ-દર્દ જોઈ હૈયામાં આંસુ આવવાં જોઈએ, પણ આજે તો પડોશીને કે સગા ભાઈને ખાવાનાં સાંસા હોય અને પોતે દૂધપાક પૂરી ઉડાવતા હોય ! આ કઈ દશા છે, તે વિચારી લો. કેવી ઊંઘ ! જરા વિચારી જુઓ ! તમને કેવો કુંભકર્ણની નિદ્રા વળગી છે ? કુંભકર્ણ માટે કહેવાય છે કે ઢોલ વાગતા ત્યારે એ છ મહિને જાગતો. ત્યારે મારે પણ તમારી આગળ ચાર કે છ મહિના ઉપદેશનાં ઢોલ વગાડવાનાં ને ? ઠીક છે, આજ જાહેર-રજા છે, દુકાનો બંધ છે, મહારાજ ઠીક બોલે છે, Jain Education International ૧૦૦ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy