SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ એ અરીસો છે આજે જગતમાં ક્લેશ, અવિશ્વાસ આદિ દુર્ગુણ દેખાય છે, તે આપણી ભાવનાઓનો પડઘો છે. આપણા હૃદયમાં વિશ્વનાં પ્રાણીઓ માટે કલ્યાણબુદ્ધિ હોય તો વિશ્વના પ્રત્યેક માનવીને આપણા માટે સદ્બુદ્ધિ હોય. પણ આપણા હૃદયમાં તારા-મારાપણાની જ વૃત્તિ રમતી હોય તો બીજા લોકો આપણા માટે કલ્યાણ કેમ ઇચ્છે ? ભાવનાઓનો પડઘો પડ્યા વિના રહેતો નથી. આ સિદ્ધાન્ત પર તમને એક પ્રસંગ સંભળાવું. એક વખતની આ વાત છે. એક ખેડૂતના ખેતરમાંથી એક ચરૂ નીકળ્યો. ખેડૂત હતો તો ગરીબ પણ પ્રમાણિક ! આવો ચરૂ નીકળે તો આજે પ્રમાણિકતા કેવી જળવાય ? પણ ખેડૂતે તો વિચાર્યું : “જમીનનો માલિક રાજા ગણાય તો ખેતરમાંથી નીકળેલા ચરૂનો માલિક પણ રાજા ગણાય. હું તો જમીન ખેડું એટલે ખેતીથી પાકેલ અનાજનો જ માલિક.” એમ વિચારી એ રાજાને ચરૂ આપવા ગયો. રાજાને નમીને એણે કહ્યું : “મહારાજ ! મારા ખેતરમાંથી સોનામહોરથી ભરેલો આ ચરૂ નીકળ્યો છે, અને તે આપનો ગણાય. આપ એનો સ્વીકાર કરો.” રાજાએ એનો અસ્વીકાર કરતાં કહ્યું : “ના, ભાઈ ! એ ખેતર તો તને વેચાયેલું છે માટે એનો માલિક તું ગણાય.” ચરૂ ત્યાં જ રહ્યો. આજે આવો સોનામહોરોથી ભરેલો ચરૂ મળે તો ? અરે, પણ મળે જ શાનો ? ભાગ્ય વિના એવું કાંઈ મળતું નથી. એક કવિએ કહ્યું છે ? 'पदे पदे निधानानि योजने रसकूपिका । भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ।' ડગલે ડગલે ધન છે. યોજને યોજને રસકૂપિકા છે; પૃથ્વી તો બહુ રત્નોવાળી છે પણ ભાગ્યહીનને ન મળે; ન દેખાય. એક રાત્રે રાજાને વિચાર આવ્યો. “મેં ભૂલ કરી કે મેં ચરૂ મેં ન લીધો. ખેડૂતે તો કહ્યું હતું કે, માલિક તમે છો. વાત પણ ખરી છે. પૃથ્વીનો માલિક હું એટલે ક્ષેત્રનો માલિક પણ હું. સવારે ચરૂ ભંડારમાં મુકાવી દઈશ.” તે જ સમયે ખેડૂતને પણ વિચાર આવ્યો, “મેં ભૂલ કરી કે હું ચરૂને મૂકી આવ્યો. ભલા રાજાએ તો કહ્યું જ હતું કે જેના ખેતરમાંથી જે વસ્તુ નીકળે તેનો માલિક છે. પણ હું ભૂલ્યો. ચાલ, સવાર થવા આવ્યું છે. જઈને એ ચરૂ. ઉપાડી આવું.” એમ વિચાર કરી એ લઈ ગયો. સવારે રાજસભામાં રાજા જુએ તો ચરૂ ન મળે ? પૂછ્યું, તપાસ કરી, એટલે જાણવા મળ્યું કે ચરૂ ખેડૂત લઈ ગયો છે. એટલે ખેડૂતને બોલાવ્યો અને લઈ જવાનું કારણ પૂછ્યું. હવે તો જાગો ! * ૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy